Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 138
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરઃ યુગપ્રવર્તક તરીકે લેખક –મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી સમયને પ્રભાવ સંસારની કોઈ પણ વસ્તુ ઉપર પડ્યા વિના રહેતો નથી. દુનિયાને કઈ પણ દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાય, રીત-રિવાજ, રાજ્યવ્યવસ્થા, આ બધું સમયાનુકૂળ પરિવર્તન માંગી જ લે છે. યાવત મનુષ્યોની ભાવના અને બુદ્ધિમાં પડ્યું પરિવર્તન થયા કરે છે. જૈન દષ્ટિએ માનેલ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ, છ આરે, ત્રીજા અને ચોથા આરામાં જ તીર્થકર થાય, એ બધું કાનું પરિણામ છે? સમયની ઉત્કૃષ્ટતા અને અપકૃષ્ટતા-સમયના પ્રભાવનું જ પરિણામ છે. અમુક સમયમાં છે. અમુક પ્રકૃતિના હોય, વળી બીજા કોઇ સમયમાં છે એથી જૂદી જ પ્રકૃતિના હોય. સમયનો પ્રભાવ જ તે તે વખતે એ હોય છે કે જેથી જીવોના સ્વભાવો એવા બને છે. ઋજુ અને પ્રાસ, કાજુ અને જડ, વક્ર અને જડ, એ પ્રમાણે જૈનશાસ્ત્રોમાં બતાવેલા જીવોના સ્વભાવો, એ જુદા જુદા સમયનું પરિણામ નહિ તો બીજું શું છે? આમ સમયના પરિવર્તનની સાથે, મનુષ્ય-સ્વભાવમાં થતા પરિવર્તનને કારણે, તે તે સમયના મહાપુરૂષો-જ્ઞાની પુરુષો છોના કલ્યાણને માટે પાછલા કાળથી ચાલ્યા આવતાં માર્ગો, ધર્મક્રિયાઓ અને રૂઢિઓમાં પરિવર્તન કરવા-કરાવવા પ્રયત્ન કરે છે. આમ યુગબળને જઈ જીવની સ્થિતિચુસ્તતામાં પલટો કરાવનારા મહાપુરૂષને ‘યુગપ્રવર્તક' કહેવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી ચરમ તીર્થંકર હતા–તેઓ તે જ ભવમાં મોક્ષે જનારા હતા, એમ છતાં પણ ભગવાન મહાવીર સ્વામી પિતાના સમયના એક “યુગપ્રવર્તક' મહાન “યુગપ્રવર્તક થયા છે, એમ આજે આપણે–આપણે જ નહિ, આખું જગત કબુલ કર્યા સિવાય નહિ રહી શકે. ભગવાન મહાવીરસ્વ મીને સમય અત્યંત ઘેર અંધકારને હતો, ભારતવર્ષમાં સર્વત્ર અજ્ઞાનતા છવાઈ રહી હતી, કેણુ જગતના ધર્મગુરુઓ કે કોણ બ્રાહ્મણ, કાણુ વૈો કે કેણ શકો, કોણ ક્ષત્રિયો કે કેણ બીજાઓસૌ લગભગ પોતાના કર્તવ્યથી વિમુખ થઈ રહ્યા હતા. અહિંસા, સંયમ અને તપ, વિકૃત રૂપમાં પરિણમ્યાં હતાં. યદ્યપિ ભગવાન મહાવીર સ્વામીની પહેલાં થયેલ ભગવાન પાર્શ્વનાથની શિષ્ય પરંપરા તે સમયે વિદ્યમાન હતી, અને તેઓ મેટી સંખ્યામાં વિચરતા હતા, “નિગ્રંથ શ્રમણ” તરીકે અહિંસા, સંયમ, અને તપનો પ્રચાર કરી રહ્યા હતા અને વીતરાગધર્મને પ્રરૂપી રહ્યા હતા. તેમ છતાં પણ તેમની વસ્ત્ર-મર્યાદા, એમનાં મહાવ્રતની ચારની સંખ્યા, એમની વિહાર–મર્યાદા, એમની પ્રતિક્રમણ-મર્યાદા; એ બધું, ભગવાન મહાવીર સ્વામીના સમયને માટે, અને તે પછીના સમયને માટે અનુકૂળ-ફાયદાકારક નહિ હતું. સમયના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231