________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગિયાર ગણધરો ભગવાન મહાવીરસ્વામીના ગણધરોને ટૂંક પરિચય
લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી
૧. લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી પૂર્વભવને સંબંધ:
ચરમ તીર્થ કર પ્રભુ શ્રી મહાવીરદેવ, પૂર્વે કરેલા નિયાણાના પ્રભાવે, ૧૮મા ભવમાં ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થયા હતા. અને મથુરાનગરીમાં મુનિરાજની મશ્કરી કરવાથી બાંધેલ કર્મોના ઉદયે ઘણું ભવોમાં ભટક્યા બાદ, તે વિશાખાનંદીકુમાર, સિહપણે ઉત્પન્ન થયો હતો. અને ગૌતમ મહારાજનો જીવ એ ત્રિપૃષ્ઠ વાસુદેવના સારથિપણે ઉત્પન્ન થયો હતો. તે સિંહ (વિશાખાનંદીનો જીવ) અનેક માનવેને ઉપદ્રવ કરતો હતો, એટલે સારથિ (ગૌતમસ્વામીના જીવ)ને સાથે લઈને ત્રિપુકુમાર (મહાવીરસ્વામીને જીવ) તે ઉપદ્રવનું નિવારણ કરવા માટે રથમાં બેસીને વનમાં ગયા. કુમારે સિંહને પડકાર કર્યો એટલે જલદી તે કુમારની સામે ધસ્યો અને છેવટે ત્રિપુછ કુમારે તેને મારી નાંખ્યો ! મરતી વખતે સિંહે ખેદપૂર્વક વિચાર્યું કે “અહો ! આ એક સામાન્ય મનુષ્ય મારી આ સ્થિતિ કરી ?” આ પ્રસંગે તે સારથિએ તેને શાંત કરવા માટે કહ્યું કે —– “હે સિંહ ! આ તને મારનાર એ ભવિષ્યમાં વાસુદેવ થવાના છે. તેને તે સામાન્ય માણસ ન સમજીશ ! જેમ તું તિર્યંચરૂપે સિંહ છે, તેમ આ ત્રિપુણકુમાર પણ મનુષ્યલકમાં સિંહ સમાન છે. તેથી તું સામાન્ય પુના હાથે મરાયો નથી, પણ – સિંહ જેવા નરેન્દ્રના હાથે મરાયો છું, માટે ખેદ ન કર!” આ પ્રમાણે સારથિનાં વચન સાંભળીને હર્ષિત થઈ સિંહ શાંતિપૂર્વક મરણ પામ્યો.
અહીં યાદ રાખવું જોઈએ કે આ જ સિંહ વચમાં ઘણો કાલ ભમીને પ્રભુ મહાવીરના સમયમાં હાલિક નામના ખેડુત તરીકે ઉત્પન્ન થાય છે. જેને પ્રભુના કહેવાથી શ્રી ગૌતમસ્વામી પ્રતિબોધ આપે છે. આ પ્રસંગ આગળ ઉપર આપેલ છે. જન્મ, માતા-પિતા, કુટુંબ:
ઘણો કાલ વીત્યા બાદ એ સારથિનો જીવ મગધ દેશના ગોબર નામના ગામમાં વેદાદિપારંગત વસુભૂતિ બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયું. તેમનું નામ ઇદ્રભૂતિ અને ગોત્ર ગૌતમ હતું. એમને જન્મ જયેષ્ઠા નક્ષત્રમાં અને વૃશ્ચિક રાશિમાં થયો હતો. એમને પૃથ્વી નામની માતા હતી. વજીરૂષભનારા સંધયણ અને સમચતુરઢ સંસ્થાનના ધારક આ શ્રી ઈદ્રભૂતિછને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે નાના ભાઈ હતા. તેઓ
For Private And Personal Use Only