Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ અત્યંત રાગ ઉપર પણ નીરાગી થઈ રહેલો જાણી તેનું કારણ પૂછતાં મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યાને ખબર સાંભળી તેમના હૃદયમાં અસહ્ય આઘાત થયો. તેઓ વિચારવા લાગ્યા કે –“શું આ હકીકત સાચી હશે ? શું આ વખતે પ્રભુ મને પિતાથી દુર કરે ? મારા જેવા રાગીને માટે પ્રભુ આવી પ્રવૃત્તિ કરે? શું પ્રભુ વ્યવહારથી પણ અજાણ છે? આવે વખતે અંગત સંબંધીને તે સૌ દુરથી પણ પિતાની પાસે બોલાવે છે તે પ્રભુ આમ કેમ કરે ? મારું મન એ વાત કબુલ કરતું નથી. શું વીર પ્રભુએ મને દુર મોકલતાં એમ ધાર્યું હશે કે– હું પાસે હેત તે સાથે લઈ જવા હઠ કરત અથવા જવા ન દેત, કે કેવળજ્ઞાન આપીને જવું હોય તે જાઓ, એમ કહેત! ગમે તે ધાયું હોય પણ મારા જેવા રોગીને દુર રાખવામાં પ્રભુએ ઠીક તે કર્યું નથી એમ મને લાગે છે. પણ રખે હું ભૂલતો તો નથી ? પ્રભુ ભૂલ ન જ કરે એ વાતની તો મને ખાત્રી છે. અરે ! હા ! હું જ ભૂલ્યો છું, મેં તે વખતે ઉપયોગ કેમ ન દીધે કે પ્રભુનું આયુષ્ય કેટલું છે ? પરંતુ હવે શું થાય ! પણ મારી બીજી પણ ભૂલ જણાય છે ! મેં એમ ધાર્યું કે જે મારો પ્રભુ ઉપર રાગ છે તે જ રાગ તેમને મારા પર હશે, પણ અહો ! આ તે સમજ્યા છતાં ભૂલ્યો ! પ્રભુ તો વીતરાગ હતા, તેમનો રાગ મારા પર હતું જ નહી, મેં પણ એકપક્ષી જ રાગ કર્યો! એ વીતરાગ પ્રભુએ મારા પરની હિતબુદ્ધિથી જ મને દર મેકલ્યો જણાય છે. કારણ કે હું પ્રભુ પર અત્યંત રાગી હોવાથી એ સ્થિતિ જોઈ ન શકત. પણ હવે શું કરવું ? જે પ્રભુએ કર્યું તે જ મારે કરવું. મારે પણ રાગીપણું તજી દેવું ને વીતરાગ થવું. કારણ કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. જેઓ પોતાના આત્માનું કાર્ય સાધે તે જ જીતી જાય છે અને બીજા ભવ હારીને ચાલ્યા જાય છે.” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં અને વીર વીર એમ ઉચ્ચાર કરતાં ગૌતમસ્વામીને મેહ નાશ પામ્યો, શુદ્ધ દશા પ્રગટ થઈ અને ઘાનિકર્મનો ક્ષય કરી માર્ગમાં જ તેઓ કેવળજ્ઞાન પામ્યા. દેવે ત્યાં કેવળજ્ઞાનને મહત્સવ કરવા આવ્યા સુવર્ણ કમળની રચના કરી. ગણધર મહારાજાએ તે પર બેસી અપૂર્વ દેશને આપી. ત્યાર પછી બાર વર્ષ વિચરી મુનિ સમુદાયને સૌધર્મ ગણધરને સોંપી તેઓ નિર્વાણપદ મામ્યા. આ હકીકત ઉપરથી વીર પરમાત્માની વીતરાગ દશાને ચિતાર હૃદયમાં વિચારવાને છે. ગૌતમસ્વામી જેવા મહાગુણી અને સતત સેવા કરનારા મહાતપસ્વી એવા મુખ્ય ગણધર પર અંત સમયે તેને પાસે રાખવા જેટલો સ્નેહ પણ જેમણે ન બતાવે એમની વીતરાગ દશા કેવી ઉચ્ચ કોટિની હશે ? રાગી ઉપર પણ વીર પ્રભુએ જે વીતરાગભાવ બતાવ્યા છે તે જ પ્રાણાંત ઉપસર્ગ કરનાર ચંડકૌશિક, સંગમ, ગેવાળ અને ગેસનાળા જેવા મહાપાપી ઉપર અંશ માત્ર પણ દ્વેષ નહીં ધરાવીને વીતષપણું બતાવી આપ્યું છે. એવી શાંતવૃત્તિ આ મહાપુરુષ સિવાય બીજો કોણ રાખી શકે? ધન્ય છે એ વીતરાગ-વીતદ્રુપ પરમાત્માને અને ધન્ય છે એમના અપ્રતિહત શાસનને, કે જેના પ્રતાપે અનેક છે આ સંસાર સમુદ્રને પાર પામી ગયા છે અને અનેક જીવો પાર પામશે. ! આપણે પણ જો તે શાસનને આશ્રય લઈશું અને પરમાત્માની આજ્ઞાને અનુસરીશું તે આપણું પણ અવશ્ય કલ્યાણ થશે ! તથાસ્તુ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231