Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
તે અર્થકથા. તે ચિત્તને સંક્લિષ્ટ કરતી હોવાથી અને પાપનો બંધ
કરાવતી હોવાથી દુર્ગતિનું કારણ છે. (૨) કામકથા :- કામ સંબંધી કથા તે કામકથા. તે કામોને વિષે રાગ
કરાવનારી હોવાથી અને ભ્રમિત કરનારી હોવાથી દુર્ગતિનું કારણ છે. (૩) ધર્મકથા :- દયા, દાન, ક્ષમા વગેરે ધર્મના અંગો સંબંધી કથા તે
ધર્મકથા. તે ચિત્તને શુદ્ધ કરનારી હોવાથી અને પુણ્યબંધ તથા નિર્જરા
કરાવનારી હોવાથી દેવલોક અને મોક્ષનું કારણ છે. (૪) સંકીર્ણકથા :- ધર્મ-અર્થ-કામના હેતુઓનું પ્રતિપાદન કરનારી કથા
તે સંકીર્ણકથા. તે અનેક ફળ આપનારી અને હોંશિયાર કરનારી હોવાથી સદ્ગતિનું કારણ છે.
જી ૪ પ્રકારનો ધર્મ જ (૧) દાન - દાન ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે :
(1) શાનદાન :- સમ્યજ્ઞાન આપવું તે જ્ઞાનદાન. (ii) અભયદાન :- પોતાની શક્તિ પ્રમાણે જીવોની રક્ષા અને જયણા કરવી તે અભયદાન. (ii) ધર્મોપષ્ટભદાન :- ધર્મની સાધના કરનારા સાધુ ભગવંતોને
આહાર, પાણી, વસ્ત્ર વગેરે આપવા તે ધર્મોપષ્ટભદાન. (૨) શીલ - શીલ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે :
(i) સદાચારના પાલનરૂપ શીલ. (ii) અઢાર હજાર શીલાંગોના પાલનરૂપ શીલ.
(i) બ્રહ્મચર્યના પાલનરૂપ શીલ. (૩) તપ :- તપ બે પ્રકારનો છે. તે આ પ્રમાણે :
(a) બાહ્ય તપ :- લોકો જાણી શકે એવો તપ, અથવા જેનાથી બાહ્ય શરીર વિગેરેને અસર થાય એવો તપ તે બાહ્ય તપ. તે ૬ પ્રકારનો છે – (I) અનશન - અલ્પકાળ માટે કે ભવના અંત સુધી જૈનસિદ્ધાંતની વિધિપૂર્વક આહારનો ત્યાગ કરવો તે અનશન.
૪ પ્રકારનો ધર્મ