Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
ઉપેદ્ઘાત
૨૩
એ બધા ઘમસાણમાંથી જ સંત-ધર્મના ઉદય થયા. સંતોએ ધર્મને નામે રૂઢ થયેલા મિથ્યા આચારોનું જાળું તોડી આપ્યું અને ધર્મ-પ્રવાહને ખાટી રૂધામણામાંથી મુક્ત કર્યો.
શીખધર્મ એ સંત-ધર્મની મુખ્ય અને તેજસ્વી શાખા છે.
(૪)
શીખ ગુરુઓએ – સંતોએ, ઈશ્વરની ભક્તિ કરવાની બાબતમાં, ક્રિયાકાંડના કે સાધનાકાંડના બીજા કશા ખટાટોપ વિના, ભગવાનના નામ-સ્મરણ ઉપર જ સીધા ભાર મૂકયો; તથા તપ-સંન્યાસ-યોગે અપનાવેલી કર્મ-ત્યાગની વાતને ટાળી, સીધા સાદા ગૃહસ્થજીવનને જ પોતાના ભક્તિમાર્ગના કેન્દ્રમાં – પાયા તરીકે – સ્થાપ્યું. એમ કરવાથી એક બાજુ મૂર્તિપૂજા, મંદિરો, પૂજારીઓ અને આચાર્ય – મહંતાના ભારણના છેદ ઊડી ગયા; અને બીજી બાજુ સંન્યાસ-દીક્ષા, મઠ-આશ્રમ, ભીખ તથા અકર્મણ્યતાના પણ !
એ રીતે ગૃહસ્થજીવન ઉપર ત્યાગી-વૈરાગી-શ્રમણ વગેરેએ જે નિદાના ઢગલા ઠાલવ્યો હતેા, તેને દૂર કરી, કર્મય, ધર્મ અને તેજસ્વી ગૃહસ્થજીવનને શીખ ગુરુએ સાધનામાર્ગમાં અનેરી પ્રતિષ્ઠા અર્પી. ‘ ગૃહસ્થી તેા કાજળની કોટડીમાં વસનારા, એટલે તેને તે ડાઘ લાગે જ – એ તો નિકૃષ્ટ કોટીના જ હોય ’ – એમ કહી કહીને તેને અધર્મી જીવન ગાળવામાં એક રીતની ઉત્તેજના આપ્યા જેવું કરી મૂકવામાં આવ્યું હતું. તેને દૂર કરી, મહેનતુ, સ્વાશ્રયી, ઈશ્વર-પરાયણ, દાનધર્મી ગૃહસ્થજીવનને જ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સ્થાન આપવાથી, સાચા કર્મશીલ, તેજસ્વી ગૃહસ્થા ઊભા થયા. એવા તેજસ્વી ગૃહસ્થ વર્ગમાં જ ધર્મની ગતિરીતિ અને સાચી ખેવના સંભવે!
આ સીધાસાદા સાધનામાર્ગને જેરે શીખ ગુરુઓએ નિર્માલ્ય, મુડદાલ બની ગયેલી પ્રજામાંથી એક એવી સમર્થ, સુગઠિત, મહેનતુ, વફાદાર અને મરજીવાની પ્રજા ઊભી કરી, જેઓએ ઈશ્વર ખાતર જીવન અર્પણ કરવાની બાબતને (જીવતાજીવત મરણ પામવાની યોગમાર્ગી સાધનાને) તે વખતની ઐતિહાસિક પરિસ્થિતિના સંદર્ભમાં શબ્દશ: અને અર્થશ: સાકાર કરી બતાવી. મરવા – કતલ થવા – કરતાં આતતાયી જેમ કરવાનું કહે તેમ નીચે મોંએ કરવું, એ જાણે તે જમાનામાં સ્વીકૃત ધર્મ બની ગયા હતા. પ્રજાના ઉપલા બ્રાહ્મણ – ક્ષત્રિય વર્ગા, મુસલમાન માલિકોને ઘેર, તેઓ ખુશ થાય તેવા આચાર-વિચાર દર્શાવી આવી, ઘેર પાતાના ચાકાધર્મ પાળવા બેસતા. એવી દીનતા અને દંભમાંથી તેમને મુક્ત કરી, પેાતાને ફાવતું ધર્મજીવન જીવવાના હકના બચાવ કરવા ખાતર, આતતાયીઓના હુમલા સામે હસતે માંએ પ્રાણ આપવા માટે તે જ લોકોને શીખ ગુરુએ તૈયાર કર્યા. સિંહ જેમ કદી પોતે એકલા છે, અને સામે મેટું ટોળું છે, એવું જોવા થાભતા નથી, તેમ શીખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org