Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જપુછ-૨૭ જે તેમને ગમે તે જ તે કરે છે, તેમને (કોઈથી) હુકમ કરી શકાય નહિ; (૨૮૪)
તે બાદશાહોના પણ બાદશાહ છે: હે નાનક, સૌએ તેમની મરજી અનુસાર રહેવાનું છે. (૨૮૫)
તે સમયે જોગીઓની જમાતે બહુ ફર્યા કરતી. તેઓ અધ્યાત્મજ્ઞાનની ગૂઢ સાધનાના અને સિદ્ધિઓના ઇજારદાર ગણાતા અને પોતાને એવી રીતે ઓળખાવતા પણ, તેમની સાથે ગુરૂ નાનકને ઘણી ચર્ચાઓ થતી. “સર જોરિ'- સિદ્ધો સાથે ચર્ચા – એ નામનું ગુરુ નાનકે આખું કાવ્ય જ રહ્યું છે. હવે પછીની બે-ત્રણ પૌડીઓમાં ગુરુ સાચા યોગીનાં લક્ષણ ગણાવી, સાધકે શી સાધન-સંપત્તિ ખરેખર સંપાદન કરવી જોઈએ, તે જણાવે છે. સાથે સાથે યોગીના ચાલુ આચારવિચારનું ખંડન પણ થાય છે.
૧. ગુરુ નાનકનાં “આસા-દી-વાર” પૌડી ૨૪માં પણ કહ્યું છે – જો રે જિ તિલૈ રાત્રે તે કામ કરવાં જે તેની મરજી અનુસાર હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org