Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પંજથી કડી ૬: દુમિ - હુકમ.
હુકમ અને હુકમ કરનાર પરમાત્મા એ બે જુદા નથી. પરમાત્મા એક જ છે અને તેમના સિવાય બીજું કાંઈ નથી; એટલે પરમાત્મા કોને હુકમ કરે? પરમાત્માને - સંકલ્પ કે મરજી એને જ દરબારી પરિભાષામાં “હુકમ' કહ્યો છે.
એટલે બીજી પૌડીમાં દુલમી હોનિ માર, દુમી હોને નીર વગેરે જે વિધાને છે, તે પરમાત્માના અર્થમાં જ સમજવાનો છે. જેમકે પરમાત્માએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, ઇ0.
પરંતુ પહેલી પૌડીની છઠ્ઠી કડીમાં જે કહ્યું છે – “દુમિ રન્નાદું સ્ટUI નાન' ' કિવિ નાર” ત્યાં જીવને માટે પરમાત્માને જે હુકમ છે તેની વાત છે.
પરંતુ જો તે હુકમ પરમાત્માએ આપણાં અંતરમાં અંકિત કરી રાખેલ છે, તે આપણે તે અનુસાર કેમ ચાલતા નથી કે કેમ આપણને તે દેખાતું નથી?
તેના જવાબમાં જ જાણે કહી રાખ્યું હોય તેમ પમી કડીમાં ફૂડ અજ્ઞાનનું કેટલું તેડવાની વાત જણાવી છે. એટલે કે, આપણાં અંતર ઉપર ફૂડ-અજ્ઞાનનું કોટ ફરી વળેલું છે. તેથી આપણે પરમાત્માના હુકમથી ઊલટા જ ચાલીએ છીએ.
તે પછી તે કેટલું તેડવા શું કરવું? તેનો જવાબ પણ, આદિમંત્રમાં ગુરુ નાનકે સૂત્રરૂપે આપી દીધો છે કે
“? ઋાર સતિનામ ગુરપ્રસાદ્રિ પુ” | - જેમનું નામ સત્ય છે એવા એક કાર (પરમાત્માના નામ)ને ગુરુની કૃપાથી જપ કરો.
એમાં ગુરુ નાનકના માર્ગની મુદ્દાની બંને બાબતને ઉલ્લેખ આવી જાય છે: ૧. ગુરુ, ૨. નામ.
ગુરુ નાનક ગુરુ માટે ‘પૂરે ગુરુ” (પૂરા)* એવું વિશેષણ વાપરે છે. પૂરા એટલે પરમાત્મારૂપ બનેલા. સામાન્ય ભક્ત કે સંતની અહીં વાત નથી. પિતાનું જુદું જીવપણું – અહંપણું સદંતર મિટાવીને જે પરમ ભાવને – પરમાત્મભાવને પામ્યા છે તેવા ગુરુ. અર્થાત્ પરબ્રહ્મરૂપ બની ગયેલા બ્રહ્મજ્ઞાની ગુરુ.
જીવ પરમાત્માથી છૂટો પડેલો – મૂઢ-અજ્ઞાની છે; “ફૂડ'ની વચ્ચે જ બેઠેલો છે. તે જીવભાવ તેણે તેડવાને છે. એ તેડવાનું શક્ય ત્યારે જ બને, જ્યારે પિતાને જીવભાવ તેડી પરમાત્મારૂપ બનેલા ગુરુનું શરણ તે સ્વીકારે – તેમનાં સેવાસંગથી તેમની કૃપા પ્રાપ્ત કરીને તેમના બતાવેલા માર્ગે ચાલે તેમણે આપેલા પરમાત્માના નામને જપ કરે.
* જુએ “સિધ-ગોસટિ' (૩૪)- પૂરે સુરતે નામુ વામા નાર” - પૂરા ગુરુ પાસેથી નામ પમાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org