Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પંજથી તે સૌ જીવોના અંતિમ કલ્યાણના હેતુથી જ પ્રવર્તાવેલ હોઈ, પરમાત્માની દયા જે ઘોતક છે.
૧૩: હોવૈ જગા ! બહારની કુદરતને સ્વતંત્ર હતી માનીને તથા પિતાને સ્વતંત્ર કર્તા-ભોક્તા માની, જીવ એ કુદરતને જાણવા તથા ભેગવવા જાય, તે કદી પરમાત્મા તરફ પહોંચી ન શકે, અને ભગપ્પાની સાઠમારીમાં જ અટવાઈ
પરંતુ આ બધી દૃશ્યમાન કુદરત ખરી રીતે પરમાત્માએ રચેલી છે, પરમાત્મારૂપ છે, તથા તેનું નિયંત્રણ પણ તેમણે સ્થાપેલા નિયમ અનુસાર જ થાય છે, એમ માને અને સમજે, તે જ પરમાત્માભિમુખ થઈ અંતે ગુરુશરણ, નામસ્મરણ આદિથી પરમાત્મામાં સમાઈ જાય.
કડી ૧૨૫ : કુતિ કવન હૈ વીવા – * કુદરત શબ્દના બે અર્થ સમજવાના છે : ૧લો અર્થ-અદ્દભુત માયા – શક્તિ. જેમકે, શી તારી કુદરત છે! એટલે કેવી અદ્ભુત તારી શક્તિ છે! અને ૨ જો (એ અદ્ભુત શક્તિથી સરજેલી) સૃષ્ટિ-કુદરત, એ સામાન્ય અર્થ. અહીં કડી ૧૨૫, ૧૩૭, ૧૬૪માં પહેલો અર્થ લે. અર્થાત્ તારી એ અદભુત શક્તિને કોણ કહી કે વિચારી શકે?
સરખાવ મારૂ મ૦ ૧, પૃ. ૧૦૩૭, ૫-૧૭–૧ : -
____ आप कुदरति करि करि देखै सुनहु सुनु उपाइदा ॥
--પોતાની અદ્ભુત માયાશક્તિથી (બધી સૃષ્ટિ) ઉત્પન્ન કરીને તે નિહાળે છે. શૂન્યમાંથી (નિરાકાર પરબ્રહ્મમાંથી) શૂન્ય (કશો તથ્ય વિનાનું મિથ્યા જગત) ઉત્પન્ન કર્યું છે.
આસા-દી-વારમાં (પૌડી ૧) બીજો અર્થ લેવાય છે –
दुयी कुदरति साजीऐ करि आसणु डिठो चाउ । – હે પ્રભુ, પછી બીજી કુદરત સરજીને તેમાં પોતાનું આસન જમાવી, (બધો ખેલ) તમે પ્રસન્નતાથી નિહાળો છો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org