Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જપુછ
-કારથી જ બ્રહ્મા વગેરે દેવેની ઉત્પત્તિ થઈ; કાર જ એ તત્વ છે જેણે ચેતન સૃષ્ટિ રચી છે કાર વડે શિલા-પર્વત આદિ જડ સૃષ્ટિ (રૂપી દેશ) અને યુગ (રૂપી કાળ)ની ઉત્પત્તિ છે; કાર વડે જ વેદ રચાયા છે
કાર શબ્દના જપ વડે જ ગુરુનું શરણ લેનારા શિષ્યો સંસાર-સાગર તરી જઈને ઉદ્ધાર પામે છે.
કહેવાને ભાવ એ છે કે, નિરાકાર – નિરંજન પરમાત્મા એક જ છે એ જ સૃષ્ટિના કર્તા છે; એ પોતે જ જડ-ચેતન સૃષ્ટિનું મૂળ છે. તેમના નામને જપ તેમને પામવાનું સાધન છે.
૩. “તિનામુ” : સાચું-સફળ-પાવનકારી નામ છે જેમનું. (રાગ વડહંસ, મ0 ૧, છંત ૮-૨ માં) ગુરુ નાનક જ કહે છે –
नाम तेरा है साचा सोइ मै मनि भाणा ।
दूखु गइआ सुखु आइ समाणा ॥ – હે પરમાત્મા, તમારું નામ સારું છેમારા મનને તે ભાવે છે. તેના વડે મારું દુઃખ દૂર થઈ ગયું અને સુખ આવીને (મારામાં) સમાયું. રાગ ધનાસરી, (મ૦ ૧) છંત પ-૨ માં તો ગુરુ નાનક એટલે સુધી કહી દે
• जीवा तेरै नाइ मनि आनंदु है जीउ ।
साधो साचा नाउ गुण गोविदु है जीउ ।। – હે પ્રભુ, તારા નામ (ના સ્મરણ) વડે હું જીવું છે, અને મને મનમાં આનંદ વ્યાપી રહે છે. તે સાધુ, પરમાત્માનું નામ સાચું છે, એ જ પરમાત્માને (સૌ જીવો ઉપર) ઉપકાર છે.
૪. બાપુ'; આદિમંત્રમાં વધુ શબ્દ બે પૂર્ણવિરામ-દંડની વચ્ચે મૂકેલો છે. અર્થાત્ એ શબ્દ આ કૃતિનું નામ પણ સૂચવે છે; અને જપમંત્ર તરીકે “હોરી
મી સ૩ સુધીને આખા ભાગ રટાય છે, ત્યારે કૃતિનું ‘નપુ* નામ આખા (સંદર્ભમાં “જપ કો” એવા અર્થમાં ગોઠવાઈ જાય છે.
* આદિમંત્રની પહેલી લીટી “નg” આગળ પૂરી થાય અને બીજી લીટી “સ” આગળ પૂરી થાય. “જપુછ'માં જોશે કે બધી કડીઓ માં પહેલી લીટીના છેલ્લા અક્ષર સાથે બીજી લીટીના છેલ્લા અક્ષરનો પ્રાસ હોય છે. જ્યાં આગળ બે લીટીના છેલ્લા અક્ષર વચ્ચે પ્રાસ ન મળતો દેખાય છે, ત્યાં પણ સુધારીને વાંચી લેવાય એવું હોય છે. - જેમકે, ત્રીજી અને ચોથી લીટીમાં છેલ્લા શબ્દ “માર” અને “ઢ” છે. પણ ત્યાં
નટિને બદલે “નાસ્ત્ર' વાંચી શકાય તેવું છે. કારણકે ખરે શબ્દ જ નાસ્ત્ર છે. ગ્રંથસાહેબમાં ઠેરઠેર શબ્દને અંતે હસ્વ છે કે હસ્વ ઉ અર્થમાં કશો ફેરફાર ઈચ્છા વિના જ ઉમેરેલા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org