Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 16
________________ વૃત્તિત્વ, મહત્ત્વવ” આ અનુમાનમાં “જ્ઞાનતંન તથા ( ક પર્ણીનાશ્રવૃત્તિ) ચિત્તધર્મનાત્રવૃત્તિત્રાવ, જ્ઞાનવ” આ પ્રમાણે સત્વતિપક્ષદોષ છે. પાતંજલીએ આ પૂર્વે (ગ્લો.નં. રમાં જણાવ્યા મુજબ) જણાવ્યું હતું કે પ્રકૃતિ-પુરુષના સંયોગ અને વિયોગની ઉપપત્તિ ઈશ્વરની ઇચ્છા વિના શક્ય નથી. આ વાત પણ બરાબર નથી. કારણ કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક (વાસ્તવિક) હોય તો આત્માને અપરિણામી માની શકાશે નહિ. સંયોગ અને વિયોગ; બંન્નેમાં (પ્રકૃતિ અને પુરુષમાં) વૃત્તિ હોવાથી સંયોગ અને વિયોગ સ્વરૂપ જન્યધર્મનો આશ્રય જ આત્મા થશે. અર્થાત્ જન્યધર્માનાશ્રયત્વ આત્મામાં પુરુષમાં) નહીં રહે અને તેથી જન્યધર્મના અનાશ્રય તરીકે આત્મામાં અપરિણામિત્વ સંગત નહીં થાય. જો પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક ન હોય તો ઈશ્વરેચ્છા કોનું કારણ બનશે? અર્થાત્ તે કોઈનું પણ કારણ નહીં બને. તેમ જ ઈશ્વર કૃતકૃત્ય હોવાથી તેમને કયું પ્રયોજન છે કે જેથી તેઓ જગતનું નિર્માણ કરે. ‘તેઓ પરમકરુણાસંપન્ન હોવાથી પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવાનું જ તેમને પ્રયોજન છે. તેથી તેઓ જગતનું નિર્માણ કરે છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એવી કરુણાથી જ તેઓ જગતનું નિર્માણ કરે તો બધા પ્રાણીઓનું ઈષ્ટ જ કરે, શા માટે કેટલાંકને સુખી કરે અને કેટલાંકને દુઃખી કરે? ઈત્યાદિ શાસ્ત્રવાર્તાસમુચ્ચયના વિવરણમાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી જણાવ્યું છે... આથી સમજી શકાશે કે પરમવિરુત્વ ભૂતાનુપ્રદ વાક્ય પ્રયોગનન્ આ ભોજનું વચન યોગ્ય નથી. ૧૬-દી ઇશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે – આ પાતંજલીના મતને કથંચિત્ માનીને જણાવાય છે. અર્થાત્ એ મત અપેક્ષાએ યોગ્ય છે તે જણાવાય છે– आर्थं व्यापारमाश्रित्य, तदाज्ञापालनात्मकम् । युज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः ॥१६-७॥ आर्थमिति-आर्थं ततः सामर्थ्यप्राप्तं न तु प्रसह्य तेनैव कृतं । तदाज्ञापालनात्मकं व्यापारमाश्रित्य । परं केवलं । तन्त्रनीतितोऽस्मत्सिद्धान्तनीत्या ईशस्यानुग्रहो युज्यते । तदुक्तं-“आर्थं व्यापारमाश्रित्य न ર રોષોડપિ વિદ્યતે” તિ 19૬-૭ના પરમાત્માથી સામર્થ્યના કારણે પ્રાપ્ત થયેલ તેઓશ્રીની આજ્ઞાપાલન સ્વરૂપ વ્યાપારને આશ્રયીને પરમેશ્વરનો અનુગ્રહ આગમને અનુસાર સંગત છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થવાથી યોગની સિદ્ધિ થાય છે, એ વાત સાચી છે. પરંતુ એ અનુગ્રહ પરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનને લઈને છે. પરમાત્માનાં પરમતારક વચનોનાં પુણ્યશ્રવણાદિથી આત્માને સામર્થ્યવિશેષ પ્રાપ્ત થાય છે. એ એક પરિશીલન

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 274