________________
આ રીતે ૮૦ વર્ષના પોતાના જીવનનો લગભગ સમગ્ર સમય શ્રુતજ્ઞાનની ઉપાસનામાં વ્યતીત કરનારા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા વિ. સં. ૧૭૩૪ના મહા સુદ ૫ ના દિવસે ડભોઇ મુકામે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ આરંભેલી શ્રુતસાધના આ રીતે વિરામ પામી. પૂજ્યશ્રીની અનન્યસાધારણ જ્ઞાનોપાસનાએ દરેક શ્રુતપ્રેમી ભવ્યાત્માઓના હૃદયમાં પૂજ્યશ્રીને પ્રતિષ્ઠિત કર્યા છે. શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનના કોઇ પણ ઉપાસક; પૂજ્યશ્રીને ક્યારે પણ ભૂલી શકશે નહિ. અન્તે પૂજ્યપાદ્દશ્રીના અગાધજ્ઞાનપ્રવાહમાં નિમગ્ન બની આપણા આત્માને પરમાત્મા બનાવવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક અભ્યર્થના છે....
જૈન ઉપાશ્રય છાપરીયા શેરી: મહીધરપુરા સુરત. વિ.સં. ૨૦૫૬ કા.વ. ૫ શનિવાર
E
૧૨
આ. વિ. ચન્દ્રગુપ્ત સૂરિ
THE