Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ અષ્ટપ્રકરણનાં વચનોથી કરાયું છે. પરંતુ તેઓશ્રીએ પોતાની અનુકપ્પાદાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે અભિનિવેશ(કદાગ્રહ)- થી અષ્ટક પ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે, તેથી તે પ્રમાણભૂત ન મનાય-આ પ્રમાણે શંકા કરીને સમાધાન કરાય છેन च स्वदानपोषार्थमुक्तमेतदपेशलम् । हरिभद्रो ह्यदोऽभाणीद् यतः संविग्नपाक्षिकः ॥ १-१९॥ “પોતાની અનુકમ્પાદાનની પ્રવૃત્તિના સમર્થન માટે પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ એ (પૂ. સાધુભગવન્તોએ કારણે અનુકમ્પાદાન કરવું જોઈએ -એ) જણાવ્યું છે માટે તે ઉચિત નથી – આ પ્રમાણે નહીં કહેવું જોઈએ, કારણ કે એ વાત સંવિગ્નપાક્ષિક એવા પૂ. શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ નિશ્ચિતપણે જણાવી છે.” આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પોતાની અસંયતને દાન આપવાની જે પ્રવૃત્તિ હતી; તેના સમર્થન માટે “શ્રી અષ્ટક પ્રકરણ માં ગ્રન્થકાર પરમર્ષિશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કારણે પૂ. સાધુભગવન્તો અનુકંપાદાન કરી શકે.. વગેરે જણાવ્યું છે, માટે તે સુંદર નથી- આ પ્રમાણે શંકા કરનારાનું કહેવું છે.એના સમાધાનમાં અહીં જણાવ્યું છે કે; એ શંકા બરાબર નથી. કારણ કે શ્રી અષ્ટક પ્રકરણના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંવિગ્નપાક્ષિક હતા. નિશ્ચિત રીતે તેઓશ્રીએ જણાવેલી એ વાત સર્વથા સાચી છે. કારણ કે સંવિઝપાક્ષિક અસત્ય બોલતા નથી. એ જ વાત સત્તાવીશમા અષ્ટકના વિવરણમાં જણાવી છે. પોતાની અસંયતને દાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે આ અષ્ટક છે- એમ કેટલાક લોકો માને છે. ભોજનકાળે પૂ.આ.ભ.શ્રી. હરિભદ્ર

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66