________________
પણ રીતે અનર્થનું કારણ; એ અનુકંપાદાન નથી.
અહીં અન્ય એટલે મિથ્યાદૃષ્ટિના ગુણસ્થાનક વગેરેથી ભિન્ન અવિરતસમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકાદિક તેના જે સમ્યજ્ઞાનાદિ ગુણો તેનું સ્થાન આ અનુકમ્પાદાન છે; જે, સર્વવિરતિ વગેરે ગુણોનું કારણ છે. કારણ કે ચોથા, પાંચમા ગુણસ્થાનકે રહેલા જીવોને કાલાન્તરે છઠા, સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.... / ૧-૧૧ાા
પુષ્ટાલંબને પણ આ રીતે પૂ.સાધુભગવન્તો અનુકમ્મા કરે તો “જિદિને વેરાવડિયં ન જ્ઞા..' - અર્થ ‘ગૃહસ્થનું વૈયાવૃત્ય ન કરવું...' - આ પ્રમાણેના આગમના વચનનો વિરોધ આવશે ...આવી શંકાનું સમાધાન કરાય છે
वैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः ।। સત્સવતાં વિપ્રન્ નૈતયાર્થ0 વાધ: ૨-૨ |
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગૃહસ્થોનું વૈયાવૃત્ય કરવાનો પૂ. સાધુભગવન્તો માટે શ્રી દશવૈકાલિક વગેરે આગમમાં જે નિષેધ કરાયો છે; તે નિષેધ ઔત્સર્ગિક છે. અને કારણિક અનુકંપાદાન પૂ. સાધુભગવન્તો કરે - એ વિધાન આપવાદિક છે. તેથી અપવાદે વિહિત અનુકંપાદાનનો બાધક ઔત્સર્ગિક વૈયાવૃત્યનિષેધ થઈ શકશે નહિ. કારણ કે અપવાદ ઉત્સર્ગનો બાધ કરે છે, પરન્તુ ઉત્સર્ગ અપવાદનો બાધ કરતો નથી... એ સ્પષ્ટ છે. / ૧-૧૨ .
આવી જ રીતે સૂયગડાંગ’ સૂત્રમાં જે જણાવ્યું છે તેનો પણ વિરોધ આવતો નથી તે જણાવાય છે –
ये तु दानं प्रशंसन्तीत्यादि सूत्रेऽपि सङ्गतः। વિદીય વિષય પૃષ્પો શામે વિપક્વતા | ૨-૩
RDEDGDDGDDEDGE