Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 22
________________ આમ “ભગવાન” શબ્દ બુદ્ધને ઉદ્દેશીને છે. એ શબ્દ સંપ્રતિ રાજાને કેમ લાગુ પડી શકે એ કલ્પનાતીત થઈ પડે છે. વળી લેખકે પિતાના મંતવ્યના સંબંધમાં કંઈ પણ પ્રમાણુ આપ્યું નથી. આથી સંપ્રતિના માનેલા અવશેષમાં, હાથી અગ્રસ્થાને હેવાનું, સંપ્રતિના પરિચયમાં, જે કહ્યું છે તે નિશધાર છે. લેખકે પિતાના ભેજામાંથી કેવી અસંગત હકીક્ત ઉપજાવી કાઢી છે તેનું આ એક જવલંત દષ્ટાન્ત છે. રહુત સ્તૂપમાંના માયાદેવીના ચિત્રપટને સંબંધ શ્રી મહાવીર પ્રભુની કૈવલ્યભૂમિ ભારતહપ સાથે હોય એમ સ્પષ્ટ તરી આવે છે એવું લેખકનું કથન તદ્દન અસત્ય છે. એ ચિત્રને સંપ્રતિ મહારાજા સાથે કંઈ લાગતું વળગતું નથી એ આપણે ઉપર જોયું છે. ભરડુતને જીગામ કેમ માની શકાય ? જભીયગામ બંગાળમાં છે. ( જે ત્રાજુવાલુકા નદીના કાંઠે આવેલું છે. અને આજકાલ એ નદીને અજયા કહેવામાં આવે છે.) ભરત મધ્યપ્રાંતમાં છે. ભારત સ્થાન સંબંધી નિમ્ન પ્રમાણુ ખાસ જાણવાજોગ છે. Bharhut-In the Central Provinces, 120 miles to the south-west of Allahab.id, and nine miles to the south-east of the Suína Railway Station......... ( - De’s Geographical Dictionary of Ancient and Mediaeal India, 2nd Edition, P. 32 ) (ભરહત મધ્યપ્રાંતામાં છે અને તે અલ્લહાબાદથી નૈરૂત્ય ખૂણામાં ૧૨૦ માઈલ અને સતના રેલવે સ્ટેશનથી અગ્નિ ખૂણામાં ૯ માઈલ દૂર આવેલું છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78