________________
૩૮
તેમણે રૂદ્રદામનના શિલાલેખ પરત્વે પણ એવી જ કલ્પનાએ કરી છે.
લેખકે ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવ બાંધનાર ચંદ્રગુપ્ત (જેના સૂબાની દેખરેખ નીચે એ તળાવ બંધાયું હતું તેના) સંબંધમાં, પીટર્સન સાહેબનાં ભાષાન્તરને હવાલે ખેટે આપે છે. પીટર્સન સાહેબે કરેલું ભાષાન્તર, લેખકે જણાવ્યું છે તે કરતાં જુદું જ છે. એ ભાષાન્તર નીચે પ્રમાણે છે –
(વૈ)ના પુષ્પગુપ્લેન P. 18.
( Vai) sya Pushyagupta. P. 20. -A Collection of Prakrit and Sanskrit Inscriptions.
પીટર્સન સાહેબ જેમને પુષ્પગુપ્ત કે પુષ્યગુપ્ત કહે છે તેમને લેખક મહાશય વૈશ્યગુપ્ત કહે છે. તેઓ એટલેથી જ અટકયા નથી. વૈશ્યગુપ્ત તે વિષ્ણુગુપ્ત (ચાણક્ય) હોય એમ પણ તેઓ માને છે. લેખકની કલ્પનાઓ કેવી છે તેનું પણ આ એક સુંદર ઉદાહરણ છે.
વળી લેખકે મૂળ લિપિ (લેખ) તપાસી હેવાનું કહીને, તેમાં વૈશ્યગુપ્ત નામ હોવાનું તેમણે જણાવ્યું છે. પણ તેમણે ખરી રીતે મૂળ લિપિ વાંચી હોય એમ જણાતું જ નથી. મૂળમાં તે પુષ્યગુપ્ત નામ છે લેખક મહાશયે પ્રમાણભૂત નવાં સાધને તપાસ્યાં હોત તે, આવી રીતે ખોટું નામ ગ્રહણ કરવાને સંભવ જ ન હતું. આમ છતાં, તેમણે research (અવેષણ) કરેલ હોવાનું કહ્યું છે એ કેવું કહેવાય ?
Shree Sudharmaswami Gyandh'andar-Umara, Surat
www.umaragyanbhandar.com