Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાઠિયા અઢાર અઢાર ભાગ એક મંડળમાં મુહુર્તગતિને ન્યૂન કરીને કંઈક વધારે પંચાસી પંચાસી જન પુરૂષ છાયાને વધારતા વધારતા સભ્યન્તરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. કહેવાને ભાવ એ છે કે–પૂર્વોક્ત પ્રકારથી ધીરે ધીરે એ અત્યંતર મંડળની પછીના મંડલાભિમુખ ગમન કરીને અંદર પ્રવેશ કરેતે સૂર્ય ત્રીજા મંડળથી ચોથા મંડળમાં અને ચોથા મંડળથી પાંચમા મંડળમાં એ પ્રમાણે કેમ કમથી અંદરની બાજુ ગમન કરતે કરતે એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતા કરતા (અહિંયાં મુહુ
ગતિ એ પદમાં મૂળમાં સપ્તમી વિભક્તિના અર્થમાં દ્વિતીયા વિભક્તિ થયેલ છે.) તેથી મુહૂર્તગતિ એટલે મુહૂર્તગતિ પરિમાણમાં એક જનને સાઠિયા અઢાર અઢાર ભાગ ૧ (અહીંયાં પણ પરિપૂર્ણ સાઠિયા અઢાર ભાગ આ પ્રમાણે સ્થૂલ પણાથી કહેલ છે. નિશ્ચય નયના મતથી તે એક જનને કંઈક ઓછા સાઠિયા અઢાર ભાગ) ઓછા કરતા કરતા પહેલા પહેલાના મંડળના કરતાં પછી પછીના મંડળના પરિરયના પરિમાણને વધારીને અઢાર જનની ન્યૂનતા કહેલ છે. પુરૂષછાયા આ ઠેકાણે પણ સપ્તમીના અર્થમાં દ્વિતીયા વિભક્તિ થયેલ છે, તેથી દષ્ટિપથપ્રાપ્તતા રૂપ પુરૂષ છાયામાં આમ અર્થ થાય છે, સાતિરેક એટલે કંઈક વધારે પંચાસી પંચાસી જનને વધારતા વધારતા સર્વાયંતર મંડળમાં યાવત પ્રતિમંડળમાં ઉપસક્રમણ કરીને અર્થાત્ તે તે મંડળમાં જઈને ગતિ કરે છે. એટલે કે તે તે મંડળમાં પરિભ્રમણ કરે છે, આ કથન સર્વબાહ્યમંડળથી અર્વાન્તન કેટલાક પહેલા બીજા વિગેરે મંડળની અપેક્ષાથી સ્થૂલતાથી કહેલ છે. વાસ્તવિક રીતે તે એવી રીતે કહેવું જોઈએ કે–અહીંયા જે કમથી સર્વાત્યંતરમંડળમાંથી પાછા બહાર નીકળવાના સમયે દ્રષ્ટિપથપ્રાપ્તતાને કામ કરતા કરતા જે રીતે બહાર નીકળે છે એજ રીતે સર્વ બાહ્યમંડળમાંથી અંદરની તરફ પ્રવેશ કરવાના સમયે પણ અવર્તન એટલે પછીના મંડળમાં દષ્ટિપથપ્રાપ્તતાને વધારતા વધારતા પ્રવેશ કરે છે. ત્યાં સર્વાયંતરમંડળ પછીના બીજા મંડળની દૃષ્ટિપથપ્રાપ્તતાના પરિમાણથી સર્વબાહ્યમંડળમાં પંચાસી યોજના અને એક
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૪૨