Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખુણામાં સ્થિત રહે છે, એ બેઉ ચંદ્રો પણ પરરપર સન્મુખ આવે છે. જેથી યુગની આદિમાં ચંદ્ર સૂર્ય સમચતુરસસંસ્થિત હોય છે એટલે કે સમાયત વર્તમાન દેખાય છે. કારણ કે પૃથિવી મુકુરોદરાકાર હોવાથી આ પ્રમાણે દેખાય છે.
અહીંયાં જે મંડળની વિષમતા છે તે આ પ્રમાણે જેમ બને સૂર્યો સર્વાભ્યન્તરમંડળમાં હોય છે અને બન્ને ચન્દ્ર સર્વબાહ્યમંડળમાં વર્તમાન હોય છે. આ પ્રમાણેનું વૈશમ્ય ગણત્રીમાં વિવણિત કરેલ નથી, આ વિષમતા અતિ અલ્પ હોવાથી એ ફલિત થાય છે કે સકળ કાળ વિશેષ જે સુષમાદિ સ્વરૂપ સર્વના આદિરૂપ યુગની આદિમાં સમચતુરસ સંસ્થિત સૂર્ય ચંદ્રમાં હોય છે. તેથી તેમની સંસ્થિતિ સમચતુરસ સંસ્થાનથી વર્ણવેલ છે. અથવા બીજા પ્રકારથી સંપ્રદાયાનુસાર ચતુરભ્રસંસ્થિતિની ભાવના સમજી લેવી. બીજી આનાથી જુદા પ્રકારની માન્યતા અનુસાર ચંદ્ર સૂર્યની સંસ્થિતિને વિચાર કરે નહીં કારણ કે તેમના અભિપ્રાય સાથે હું સમ્મત થતું નથી, એ બીજા અન્ય મતવાદીથી લઈને સેળમાં મતવાળા સુધીના બધા જ મતાવલંબીનું કથન મિથ્યા રૂપ જ છે.
આ પ્રમાણે ચંદ્ર સૂર્યની સંસ્થિતિનો વિચાર કરીને હવે તાપક્ષેત્રની સંસ્થિતિ કહેવાની ઇચ્છાથી હવે એ વિષય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે. (ા કહ્યું તે રાવણેત્તસંપર્ક માહિતિ વણકરા) આપના મતથી તાપક્ષેત્રની સંસ્થિતિ કેવા પ્રકારની કહેલ છે તે કહા અર્થાત્ શ્રી ગૌતમસ્વામી કહે છે કે-હે લાગવન અન્ય અનેક પ્રશ્નો છે પરંતુ આ વખતે તાપક્ષેત્રના વિષયમાં પૂછું છું કે કેવા પ્રકારથી અને કેવા પ્રમાણુવાળી તાપક્ષેત્રની સંસ્થિતિ આપના મતથી કહેલ છે? તે આપ કહે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન તાપક્ષેત્રના સંબંધમાં અન્યતીથિકોના મતાન્તર રૂપ પ્રતિપત્તિને બતાવતાં કહે છે–(તત્ય વસ્તુ મા રોઝ પવિત્તીનો પત્તાશો) તાપક્ષેત્ર સંસ્થિતિના સંબંધમાં આ વક્ષ્યમાણ સોળ પ્રતિપત્તિ કહેલ છે. અર્થાત્ એ તાપક્ષેત્ર સંસ્થિતિના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૬૯