Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાવીસ થાય છે. તે પછી ઉપરના એનસડિયા અડતાલીસ ભાગને તેમાં મેળવે તે એકસે સિત્તેર ૧૭૦ થાય છે, આનાથી પૂર્વ રાશીને ભાગ કરે તે તેર આવે છે. અને શેષ નવ વધે છે. તથા એકસઠિયા એક ભાગના સાતિયા છ ભાગ રહે છે. આ રીતે અહિયાં એ ફલિત થાય છે કે-પાંચમા ચંદ્રમંડળની ઉપર તેર સૂર્યમાર્ગો હોય છે, તથા તેર માર્ગની ઉપર છ ચંદ્રમંડળની પછી એક એજનના એકસઠિયા નવ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા છ ભાગની પછી છઠું, ચંદ્ર મંડળ આવે છે, તે એક સહિયા છપ્પન ભાગ રૂપ હોય છે, તેની ઉપરના સૂર્યમંડળની પછી એકસડિયા છપ્પન ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા એક ભાગની પછી સૂર્યમંડળ આવે છે તે એકસઠિયા ભાગના એકસે ચાર ભાગ તથા એક ભાગના સાતિયા એક ભાગથી ન્યૂન હોય છે. આ રીતે ચંદ્રમંડળની પછીનું યથાક્ત પ્રમાણુ થઈ જાય છે, એ સૂર્યમંડળની પછી બીજા બાર સૂર્યમાર્ગ થઈ જાય છે, એ બધાને મેળવવાથી એ અંતરમાં તેર સૂર્યમાર્ગ થઈ જાય છે. એ તેર સૂર્યમાર્ગની ઉપરના સાતમા ચંદ્રમંડળની પછી એકસઠિયા એકવીસ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા ત્રણ ભાગનું અંતર રહે છે, તે પછી સાતમું ચંદ્રમંડળ આવે છે. એ સાતમા ચંદ્રમંડળની પછી એકસઠિયા ચુંમાળીસ ભાગ તથા એકસહિયા એક ભાગના સાતિયા ચાર ભાગમાં સૂર્યમંડળ હોય છે, તે પછી એકસઠિયા બાણુ એક એકસડિયા ભાગના સાતિયા ચાર ભાગ ન્યૂન ચંદ્રમંડળના અંતરનું યક્ત પ્રમાણ થઈ જાય છે. અર્થાત્ તેની ઉપર બીજા બાર સૂર્યમાળે લભ્ય થાય છે. તે પછી એ અંત૨માં પણ સર્વ સંકલન કરવાથી તેર સૂર્યમાગે થઈ જાય છે, તેર સૂર્યમાર્ગની બહાર આઠમા ચંદ્રની પછીનું અંતર એકસઠિયા તેત્રીસ ભાગનું થાય છે. તે પછી આઠમું ચંદ્રમંડળ આવે છે. આઠમા ચંદ્રમંડળથી પર એકસઠિયા તેત્રીસ ભાગમાં સૂર્યમંડળ હોય છે. એકસઠિયા એકાશી ભાગથી ન્યૂન ચંદ્રમંડળનું અંતર યક્ત પ્રકારથી થાય છે, તેની
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૭૫