Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાગ ન ચાલવાથી શેષ રૂપ અયન ગત તિથિને સમૂહ હોય છે. તેને ચારથી ગુણવા અને એ રીતે ગુણીને પર્વાદથી યુગમાં જેટલી પર્વસંખ્યાથી (ગળ્યાગ્ર. ૪૦૦૦ પર્વ એક ચોવીસ થાય છે. તેના પાદથી અર્થાત્ ચતુર્થાશથી એટલે કે એકત્રીસથી ભાગ કરવાથી જે ભાગ ફળ આવે એટલા મંગળ અને (૨) પદથી આંગળના અંશ પૌરૂષીના ક્ષયવૃદ્ધિ ના સમજવા. દક્ષિણાયનમાં પાદ ધ્રુવ રાશીના ઉપર વૃદ્ધિરૂપે સમજવા અને ઉત્તરાયણમાં પાદ ધ્રુવરાશીના ક્ષયરૂપે સમજવા. આ પ્રમાણે ગુણાકારની કે ભાગાકારની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તે બતાવે છે. જે એકસો છયાસી તિથીથી વીસ આગળ ના ક્ષય અથવા વૃદ્ધિમાં પ્રાપ્ત થાય તે એક તિથીમાં કેટલી વૃદ્ધિ કે ક્ષય થાય છે ? તેને જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવામાં આવે છે. જેમકે-૨૪૪૧ અહીયાં છેલ્લી રાશી જે એક છે તેનાથી મધ્યની રાશી વીસ રૂપ છે. તેને ગુણાકાર કરે તો એવીજ રહે છે. કારણકે એકથી ગુણેલ બધી રાશિયો એજ પ્રકારે રહે છે. આ પ્રમાણેના નિયમથી - ચોવીસજ રહે છે. તે પછી પહેલી રાશી જે એકસે છયાશી રૂપ છે તેનાથી ભાગાકાર કરે તે ઉપરની રાશી અલપ હોવાથી ભાગ ચાલતો નથી તેથી ભાગફળ શૂન્ય રહે છે, તે પછી છેદ્યછેદક રાશિની છ થી અપવર્તન કરવી = એ રીતે ઉપરની રાશી ચાર અને નીચેની રાશી એકત્રીસ થાય છે. આ રીતે એક તિથીમાં એકત્રીસિયા ચાર ભાગ ક્ષય અથવા વૃદ્ધિમાં જ્ઞાત થાય છે. આ રીતે ચારને ગુણાકાર એકત્રીસ ભાગહાર કહેલ છે. અહીંયાં જે લખ્ય ફળ છે એટલા આગળ ક્ષય વૃદ્ધિના જાણવા ! તેમાં કયા અયનમાં કેટલું પ્રમાણ ધ્રુવરાશીની વૃદ્ધિમાં તથા કયા નક્ષત્રમાં કેટલું પ્રમાણ ધ્રુવરાશીના ક્ષયમાં થાય છે. તે બતાવવાના હેતુથી કહે છે. (જિલ્લવુઢી ચા)િ દક્ષિણાયનમાં બે પાદ ઉપર આગળની વૃદ્ધિ થાય છે. તથા ઉત્તરાયણમાં ચારપાદથી આંગળોની હાની એટલે કે ક્ષય થાય છે. યુગના પહેલા સંવત્સરના દક્ષિણાયનમાં જેટલા દિવસથી આરંભ કરીને વૃદ્ધિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૩૫૬