Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવિની, પૂર્ણિમા થાય છે, પુષ્ય નક્ષત્રમાં થવાવાળી પિષમાસ સંબંધી પિોષી પૂર્ણિમા મઘા નક્ષત્રમાં થવાવાળી માઘ માસમાં થવાવાળી પૂર્ણિમા, ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં થવાવાળી ફાગણ માસ ભાવિની પુનમ, ચિત્રા નક્ષત્રમાં થનારી ચેત્રી પુનમ, વિશાખા નક્ષત્રમાં થવાવાળી વિશાખ માસ બેધિકા પૂર્ણિમા, જ્યેષ્ઠા નક્ષત્રમાં થનારી જયેષ્ઠમાસ પ્રતિપાદિક પુનમ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં થનારી અષાઢ માસને બંધ કરાવનારી પુનમ આ પ્રમાણે માસોના કમથી તે તે નામાનુંરૂપ નક્ષત્રોના વેગથી યથાર્થ સંજ્ઞાવાળી પૂર્ણિમાઓનું પ્રતિપાદન કરેલ છે.
હવે જે જે નક્ષત્રથી એક એક પૂર્ણિમા સમાપ્ત થાય તેના વિશે પ્રશ્ન કરતાં શ્રી ગૌતમસ્વામી કહે છે,-(તાસાવરૃિ i govમાણ તિતિ નોતિ) શ્રાવિષ્ઠી એટલે કે શ્રાવણમાસ ભાવીની પૂર્ણિમા કેટલી સંખ્યાવાળા અને કયા કયા નામવાળા નક્ષત્રનો વેગ કરે છે ? અર્થાત્ ચંદ્રની સાથે એગ કરીને પૂર્ણિમાને સમાપ્ત કરે છે? તે મને કહે શ્રી ગૌતમસ્વામીના આ પ્રશ્નને સાંભળીને ભગવાન્ કહે છે. (ત રિળિ જવવત્તા નોરંત સં; મી સવળો ધળિ) તમારા આ પ્રશ્નનો ઉત્તર સાંભળે યદ્યપિ પાંત્રીસમાં સૂત્રમાં કુલ ઉપકુલ અને કુલપકુલ સંજ્ઞાવાચથી પૂર્ણિમાઓની સામાન્ય રીતે સંજ્ઞાઓનું પ્રતિપાદન કર્યું છે, તે પણ સ્પષ્ટ બંધ થવા માટે અહીંયાં ફરી કહેવામાં આવે છે. શ્રાવિષ્ઠિ પૂર્ણિમાને ત્રણ નક્ષત્ર ચંદ્રની સાથે વેગ કરીને સમાપ્ત કરે છે. એ ત્રણ નક્ષત્ર ના નામે આ પ્રમાણે છે.–અભિજીત, શ્રવણ અને ધનિષ્ઠા આ ત્રણ નક્ષેત્રે શ્રાવિષ્ઠિ પુનમને સમાપ્ત કરે છે, અહીંયાં શ્રવણ અને ધનિષ્ઠા એ બે નક્ષત્ર જ શ્રાવિષ્ટિ પુનમને સમાપ્ત કરે છે. કારણ કે અભિજીત નક્ષત્ર ઉત્તરાષાઢા અને શ્રવણ નક્ષત્રથી સંબંધિત હોવાથી એ નક્ષત્ર પણ પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તેમ કહેવામાં આવેલ છે, આ કેવી રીતે થાય છે? તે બતાવે છે
અહીયાં પ્રવચન પ્રસિદ્ધ અમાસ અને પુનમના સંબંધના ચંદ્ર યોગના જ્ઞાન માટે આ પ્રમાણે વિચારવું જોઈએ આ યુગમાં અમાસને જાણવા ઈચછે તે ક્યા નક્ષત્રમાં રહેલા અમાસ સમાપ્ત થાય છે આ પ્રકારની જીજ્ઞાસામાં એ પ્રકારની જેટલી અમાસ વીતી ગઈ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૯૧