Book Title: Updeshratna Kosh Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhak Trust View full book textPage 7
________________ एसो कोसो वियरियतोसो જિનશાસનની પરંપરામાં થયેલા એક મહાવિદ્વાન પૂર્વાચાર્ય એટલે પ.પૂ. આચાર્યદેવ શ્રી પદ્મજિનેશ્વરસૂરીશ્વરજી મહારાજા. એમના વિષે બીજી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. છતાં પણ આ અદ્ભુત કૃતિ જ એમનો પરિચય મેળવવા પૂરતી છે. પૃષ્ઠ-૨ પ૨ પ્રસ્તુત કૃતિની વિશેષતા જણાવી છે, તેથી અત્રે પુનરાવર્તન કરતો નથી. અધિકારી વાચક વર્ગ આ કૃતિનું ખૂબ પરિશીલન કરે, તેના રહસ્યોની પરિણતિ પ્રાપ્ત કરે અને તેના દ્વારા આ લોક, પરલોક અને પરમલોકમાં સુખ પ્રાપ્ત કરે, એ અભિલાષાથી આ કૃતિ પર સંસ્કૃત વૃત્તિનું નવસર્જન કર્યું છે. ચરમતીર્થપતિ કરુણાસાગર શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી તથા પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પરમકૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. આ ગ્રંથના મૂલાધાર છે પૂ. મુનિ જિનપ્રેમવિ. અને અનન્ય સહયોગી છે મુનિ ભાવપ્રેમવિ. અને મુનિ રાજપ્રેમવિ. તથા ભરત ગ્રાફિક્સના પ્રયત્નોથી ટાઈપસેટીંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક પાર પડેલ છે. આ પ્રબંધમાં ક્યાંય પણ ઉત્સૂત્રાદિ દોષયુક્ત નિરૂપણ થયું હોય તો મિચ્છામિદુક્કડમ્. કૃપા કરીને બહુશ્રુતો તેનું સંશોધન કરે. આ પ્રબંધના માધ્યમે સ્વ-પરનું કલ્યાણ થાય એ જ શુભાભિલાષા સહ વિરમું છું. દ્વિતીય વૈશાખ વદ-૭, વિ.સં. ૨૦૬૬ મેઘદૂત જીન (પાલેજ). પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજીમહારાજાનો ચરણકિંકર આચાર્ય વિજયકલ્યાણબોધિસૂરિPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 92