________________
૩૫શોપનિષત્ શ્લોક-૧૫ સિંઘતા દૂર કરવા. ૨૨ ऽपायानपायात्, अत एवाहुराचार्याः-स्थाने सुप्रातिवेशिमके - इति (योगशास्त्रे १-४९) । तथा बालस्यापि हितं वचनं गृह्यते, इतरतद्ग्रहणसमानफलत्वात्, अपरथा हिताभ्युपायोपदर्शकावज्ञादोषोपलेपप्रसक्तेर्भवान्तरेऽपि हितवञ्चितत्वप्रसङ्गाच्च, अत एव वदन्ति - बालादपि हितं .ग्राह्यम् - इति । तथाऽन्यायान्निवर्त्यते, एतच्चानाभोगादिना कथञ्चित्तत्प्रवृत्तौ सत्यां ज्ञेयम्, अन्यथा तु न्यायमार्गातिक्रमस्यैव विरहान्न
થાય છે. માટે જ આચાર્યદેવે કહ્યું છે - સારા પાડોશવાળા સ્થાનમાં રહેવું. (યોગશાસ્ત્ર ૧-૪૯)
તથા બાળકનું પણ હિતવચન મનાય, કારણ કે જે ફળ વિદ્વાનનું હિતવચન માનવાથી મળે, એ જ ફળ તેનાથી પણ મળવાનું છે. જો એ હિતવચનની અવગણના કરે, તો હિતનો ઉપાય બતાડનારની અવજ્ઞાનો દોષ લાગવાથી ભવાંતરમાં પણ હિતવચનથી વંચિત થઈ જવાય. માટે જ કહે છે - બાળક પાસેથી પણ હિતનું ગ્રહણ કરવા યોગ્ય છે.
તથા અન્યાયથી નિવૃત્તિ લેવાય. આ વસ્તુ અનાભોગ વગેરેથી કોઈ રીતે અન્યાયમાં પ્રવૃત્તિ થઈ હોય, તો તે સંબંધી સમજવું. અન્યથા તો ન્યાયમાર્ગનું ઉલ્લંઘન જ ન