________________
૫૮
उपदेशरत्नकोषः જીવહિંસામાં પ્રવર્તે છે, તેઓને જિનપૂજા માટે જીવહિંસા કરવાનો પ્રતિષેધ કરવો એ મોહ છે - મિથ્યાત્વ છે - બહુ મોટી ભ્રાંતિ છે.
હા, શરીરાદિ માટે કરાતી સર્વ જીવહિંસાનો જે ત્યાગ કરી દે, તેને પૂજા કરવાની જરૂર નથી.
કથાનકોષ નામના ગ્રંથમાં કહ્યું છે – जइ पुण पोसहनिरया सच्चित्तविवज्जया जइसरिच्छा । उत्तरपडिमासु ठिया पुप्फाई ता विवज्जंतु ॥
જેઓ પૌષધમાં નિરત હોય, સચિત્ત આહારપાણીના ત્યાગી હોય. સાધુ જેવું જીવન જીવતા હોય. વિશિષ્ટ શ્રાવક-પ્રતિમાને વહન કરતા હોય, તેઓ પુષ્પ વગેરેનો ભલે ત્યાગ કરે.
ઘર માટે, પરિવાર માટે, શરીર માટે, ધંધા માટે, મોજ-શોખ માટે જે અઢળક જીવહિંસા કરે છે, એવા જીવને શ્રાવક જીવનના મુખ્ય કર્તવ્યરૂપ જિનપૂજામાં હિંસા દેખાડીને પૂજાનો નિષેધ કરવો, એ કેટલી વિચિત્ર બાબત
છે ! પોતાને અને બીજાને ભવસાગરમાં ડુબાડવાનું કેટલું હિચકારું કૃત્ય છે ! - યાદ રહે, ભાવસ્તવ = સાધુધર્મ મોક્ષે જવા માટેની