Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 72
________________ उपदेशोपनिषद् એક્સપ્રેસ ટ્રેન છે, જ્યારે પુષ્પ વગેરેથી જિનપૂજા રૂપ દ્રવ્યસ્તવ એ પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ વિના ટ્રેનમાં ચડવું શક્ય નથી, તેમ જિનપૂજાથી દૂર રહે, તેનો નિષેધ કરે, તેને ભવાંતરમાં પણ સંયમપ્રાપ્તિ શક્ય નથી. કથાનકોષ ચોખ્ખા શબ્દોમાં કહે છે - पुप्फाइदव्वत्थयमकुणंतो कह गिही हविज्ज जोग्गो । भावत्थयस्स ? ता पढमभूमिगाए जइज्ज इहं ॥. જે ગૃહસ્થ પુષ્પો વગેરેથી દ્રવ્યસ્તવ નથી કરતો તે ભાવસ્તવને યોગ્ય ક્યાંથી થાય ? માટે પુષ્પ વગેરેથી પૂજા કરવારૂપ આ પ્રથમ ભૂમિકાના વિષયમાં પ્રયત્ન કરવો જોઈએ. પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ સંબોધપ્રકરણમાં કહ્યું છે – पूयम्मि वीयराये भावो विप्फुरइ विसयविवच्चाया । आया अहिंसभावे वट्टइ इह तेण नो हिंसा ॥१-२०१॥ જયારે વીતરાગ પરમાત્માની પૂજા કરાય ત્યારે વિષયવ્યત્યાસ થાય છે. શરીરાદિના મમત્વ પરથી મન ઉઠી જાય છે અને પરમાત્મા પ્રત્યે કેન્દ્રિત થાય છે. આત્મા અહિંસાભાવમાં પ્રવર્તે છે, માટે તેમાં હિંસા નથી.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92