________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૧ સૂ૦ ૧ જરૂર ન પડે. આવું સુખ આત્મામાં રહેલું છે. આથી મોક્ષમાં તે સુખનો અનુભવ થાય છે. બાહ્ય સાધનોથી પ્રાપ્ત થતું સુખ આનાથી વિપરીત છે. બાહ્ય સાધનોથી થતું સુખ કૃત્રિમ=સાંયોગિક છે. આથી જ બાહ્ય સાધનો કેટલીક વખત સુખ તો નથી આપતાં, બલ્ક દુઃખનો અનુભવ કરાવે છે. જેમ કે
એક કન્યાએ પોતાના પિતા પાસે સુંદરમાં સુંદર સાડી મંગાવી. પિતાએ તેને લાવી આપી. આથી સાડી જોઈ તે ખુશ ખુશ થઈ ગઈ. સાડીના દર્શન માત્રથી તેને અત્યંત સુખનો અનુભવ થયો. બાદ તેણે એ સાડી પોતાની સખીને બતાવી. સખીએ તે સાડી જોઈ અને સાથે સાથે પોતાની એક નવીન સુંદર સાડી તેને બતાવી. તેણીએ સખીની સાડીનું નિરીક્ષણ કર્યું તો તેને જાત, ભાત, રંગ વિગેરે અનેક દૃષ્ટિએ સખીની સાડી પોતાની સાડીની અપેક્ષાએ કઈ ગણી સુંદર લાગી. આથી તેના હૃદયગગન ઉપર નિરાશાનાં દુઃખનાં વાદળોએ આક્રમણ કર્યું. હવે તેની દષ્ટિમાં પોતાની સાડી સામાન્ય ભાસવા લાગી.
વાંચકો ! હવે એ સાડી તેના હૃદયને આનંદ આપશે? જ્યારે જ્યારે એ પહેરશે અને પોતાની સખીની સાડીનું સ્મરણ થશે ત્યારે શું તેને દુઃખ ઉત્પન્ન નહિ થાય? ક્ષણ પહેલાં જે વસ્તુ અત્યંત આનંદ આપતી હતી, એથી પોતાને કોઈ અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થઈ છે એવું લાગતું હતું, તે જ વસ્તુ ક્ષણ બાદ અત્યંત નિરાશા ઉત્પન્ન કરે છે. આની પાછળ શું કારણ છે? જો બાહ્ય પદાર્થોમાં સ્વાભાવિક સુખ હોય તો આમ બને ? ન બને. આથી બાહ્ય પદાર્થોમાં સુખ છે જ નહિ.
પ્રશ્ન- જો બાહ્ય=ભૌતિક વસ્તુઓમાં સુખ નથી તો તે તે વસ્તુના ભોગ-ઉપભોગથી સુખનો=આનંદનો અનુભવ કેમ થાય છે?
ઉત્તર– મોહવશ જીવોને વિષયોપભોગની ઉત્સુકતા જાગે છે, એથી જ્યાં સુધી વિષયોપભોગ નથી થતો ત્યાં સુધી મનમાં અરતિ રહ્યા કરે છે, જ્યારે વિષયોપભોગ થાય છે ત્યારે વિષયોપભોગની ઉત્સુકતાના કારણે જાગેલી અરતિનો થોડા સમય માટે અભાવ થાય છે, આમ શબ્દાદિ સાધનો સુખ નથી આપતાં, કિંતુ જાગેલી અરતિનો માત્ર પ્રતિકાર કરે છે. એથી જીવોને અરતિ રૂપ દુઃખનો અભાવ થાય છે. આ દુઃખાભાવમાં સુખનો ઉપચાર કરવામાં આવે છે. દા.ત. ખૂજલીવાળા મનુષ્યને ચળ આવે છે, એથી શરીરને