Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 476
________________ ૪૩૨ શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૪૩-૪૪-૪૫ પ્રશ્ન- આવી રીતે ધ્યે ધાતુના પ્રસિદ્ધ અર્થ સિવાય અન્ય અર્થો કરવામાં(=માનવામાં) અન્યાય નથી થતો ? ઉત્તર-ના. જિનવચનને અનુસરવા માટે અન્ય અર્થ કરવામાં અન્યાય થતો નથી. (૪૨) શુક્લધ્યાનના પ્રથમના બે ભેદોમાં વિશેષતા gશ સવિત પૂર્વે ૧-૪૩ | પૂર્વના બે ભેદો એકાશ્રય અને સવિતર્ક હોય છે. એકાશ્રય એટલે આત્મા કે પરમાણુ આદિ કોઈ એક આલંબન સહિત. સવિતર્ક એટલે શ્રુતસહિત=પૂર્વગતશ્રુતના આધારવાળું. શુક્લધ્યાનના પ્રારંભના બે ભેદોમાં આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યનું આલંબન હોય છે, અર્થાત્ કોઈ એક દ્રવ્ય સંબંધી ધ્યાન કરવામાં આવે છે, તથા પૂર્વગતશ્રુતનો આધાર હોય છે, અર્થાત્ પૂર્વગતશ્રુતના આધારે ધ્યાન કરવામાં આવે છે. (૪૩) પહેલા અને બીજા ભેદમાં તફાવત વિવારે તિય –૪૪ શુક્લ ધ્યાનનો બીજો ભેદ વિચારથી રહિત હોય છે. આથી પ્રથમ ભેદ વિચાર સહિત હોય છે એ અર્થોપત્તિથી સિદ્ધ થાય છે. દ્રવ્ય-પર્યાય, શબ્દ-અર્થ અને યોગોનું સંક્રમણ=પરિવર્તન વિચાર છે, એમ પૂર્વે કહેવાઈ ગયું છે. પ્રથમભેદ એકાશ્રય-પૃથકત્વ-સવિતર્ક-સવિચાર છે, અને બીજો ભેદ એકાશ્રય-એકત્વ-સવિતર્ક અવિચાર છે. આમ બે ભેદોમાં એકાશ્રય અને વિતર્ક એ બેની સમાનતા છે, તથા પૃથકત્વ-એકત્વ તથા વિચારની અસમાનતા છે. (૪૪) વિતર્કની વ્યાખ્યાવિત: શ્રત છે ૧-૪પ વિતર્ક એટલે (પૂર્વગત)શ્રુત. યદ્યપિ વિતર્કનો અર્થ વિકલ્પ=ચિંતન થાય છે. પણ અહીં વિકલ્પ (વિતર્ક) પૂર્વગતશ્રુતના આધારે વિવિધ નયના અનુસાર કરવાનો હોવાથી તેમાં (વિકલ્પમાં) પૂર્વગતશ્રુતનું આલંબન લેવું પડતું હોવાથી ઉપચારથી

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516