Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 491
________________ અ) ૧૦ સૂ૦ ૬] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ४४७ કારણ કે સિદ્ધો અરૂપી છે. સિદ્ધો અરૂપી હોવાથી જ્યોતિમાં જયોતિ મળી જાય તે રીતે એકબીજામાં મળી જાય છે. (૫) સર્વ કર્મક્ષય થતાં આત્માની ઊર્ધ્વગતિનું કારણपूर्वप्रयोगाद्, असङ्गत्वाद्, बन्धविच्छेदात्, तथागतिपरिणामाच्च तद्गतिः ॥१०-६ ॥ પૂર્વપ્રયોગ, અસંગ, બંધવિચ્છેદ, તથાગતિપરિણામ એ ચાર હેતુઓથી આત્મા સર્વકર્મક્ષય થતાં ઊર્ધ્વ ગતિ કરે છે. અહીં ત્રણ પ્રશ્નો ઊઠે છે. (૧) સર્વ કર્મક્ષય થતાં આત્માની ગતિ ઊર્ધ્વ જ કેમ થાય છે? તિર્થી(વાંકી) કે અધો(=નીચે) કેમ થતી નથી? (૨) સંસારી આત્માની ગતિ ઊર્ધ્વ, અધો અને તિર્જી એમ ત્રણ પ્રકારની કેમ થાય છે? (૩) આત્માને ગતિ કરવામાં યોગ સહાયક છે. યોગ વિના આત્મા ગતિ કરી શકતો નથી. સર્વકર્મક્ષય થતાં આત્મા યોગ રહિત હોવાથી ગતિ કેમ કરી શકે? આ ત્રણે પ્રશ્નોના ઉત્તરો આ સૂત્રમાં આપવામાં આવ્યા છે. તેમાં પ્રથમ પ્રશ્નનો ઉત્તર તથા તિરિણામ એ શબ્દથી આપવામાં આવ્યો છે. બીજા પ્રશ્નનો ઉત્તર સત્તા વન્યવિકાર એ બે શબ્દોથી આપવામાં આવ્યો છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર પૂર્વજો એ શબ્દથી આપવામાં આવ્યો છે. એ ઉત્તરો આ પ્રમાણે છે. પ્રથમ પ્રશ્નનો ઉત્તર- પાંચ દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોનો ગતિ કરવાનો સ્વભાવ છે. તેમાં પુદ્ગલનો ઊર્ધ્વ, અધો અને તિર્થી એમ ત્રણે તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. જેમ કે–દીપકજયોતિ, અગ્નિ આદિનો ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. પવનનો તિર્થી ગતિ કરવાનો સ્વભાવ છે. પથ્થર આદિનો અધોગતિ કરવાનો સ્વભાવ છે. પણ આત્માનો કેવળ ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. ઊર્ધ્વગતિ કરવાના સ્વભાવથી આત્મા સર્વ કર્મક્ષય થતાં ઊર્ધ્વ ગતિ કરે છે. બીજા પ્રશ્નનો ઉત્તર જો આત્માનો કેવળ ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે તો સંસારી આત્મા ઊર્ધ્વ આદિ ત્રણેય પ્રકારની ગતિ કેમ કરે છે? એ પ્રશ્ન વિદ્વાનોના મગજમાં ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન એ છે કે સંસારી આત્માને કર્મોનો સંગ છે, કર્મોનું બંધન છે. આથી તેને પોતાના કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે. સંગ (બંધન) દૂર થતાં આત્મા સીધી ઊર્ધ્વ ગતિ

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516