Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 496
________________ ૪૫ ૨ શ્રીતવાથિિધગમસૂત્ર [૦ ૧૦ સૂ૦૭ તો વધારેમાં વધારે આઠમા સમય સુધી સિદ્ધ થાય. નવમા સમયે અંતર પડી જાય. સતત આઠ સમય સુધી સિદ્ધ થયા પછી નવમા સમયે કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ પણ જીવ મોક્ષમાં ન જાય. આ અંતર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ પડે છે. અર્થાત્ કોઈ એક સમયે કોઈ પણ જીવ મોક્ષે ન જાય, બીજા સમયે પણ કોઈ પણ જીવ મોક્ષે ન જાય, ત્રીજા સમયે પણ કોઈ પણ જીવ મોક્ષે ન જાય, એમ સતત છ માસ સુધી કોઈ પણ જીવ મોક્ષે ન જાય. છ મહિના પછી અવશ્ય કોઈ જીવ સિદ્ધ થાય. (૧૧) સંખ્યા–એક સમયમાં એકીસાથે કેટલા સિદ્ધ થાય તેની વિચારણા. એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ જીવો સિદ્ધ થાય છે. સતત કેટલા સમય સુધી કેટલા જીવો મોક્ષે જાય ૮ સમય ૧ થી ૩૨ ૭ સમય ૩૩ થી ૪૮ ૬ સમય ૪૯ થી ૬૦ ૫ સમય ૬૧ થી ૭૨ ૪ સમય ૭૩ થી ૮૪ ૩ સમય ૮૫ થી ૯૬ ૨ સમય ૯૭ થી ૧૦૨ ૧ સમય ૧૦૩ થી ૧૦૮ (૧૨) અલ્પબદુત્વ– ક્ષેત્ર આદિ ૧૧ દ્વારોને આશ્રયીને કયા દ્વારમાં કયા દ્વારથી વધારે કે ઓછા સિદ્ધ થાય તેની વિચારણા. દા.ત. ક્ષેત્રદ્વારમાં સંકરણસિદ્ધોથી જન્મસિદ્ધો સંખ્યાતગુણા છે. કાળદ્વારમાં ઉત્સર્પિણી કાળ સિદ્ધોથી અવસર્પિણી કાળ સિદ્ધો વિશેષાધિક છે. અવસર્પિણી કાળ સિદ્ધોથી અનુત્સર્પિણી-અનવસર્પિણી કાળ સિદ્ધો સંખ્યાતગુણા છે. આ પ્રમાણે બીજા ગતિ આદિ કારોમાં પણ અલ્પ-બહુત્વનો વિચાર થઈ શકે. વિશેષ જિજ્ઞાસુઓએ મૂળગ્રંથની ટીકા જોઇ લેવી. (૭)

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516