________________
૭૩
અ૦ ૨ સૂ૦ ૧] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
બીજો અધ્યાય તત્ત્વાર્થમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દર્શન આદિ ત્રણમાં દર્શન પ્રથમ હોવાથી પ્રથમ તેનું નિરૂપણ કરવું જોઈએ. આથી સૂત્રકાર ભગવંતે પ્રથમ તેનું નિરૂપણ શરૂ કર્યું. તેમાં જીવાદિ તત્ત્વો વિશે શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે, એમ કહીને જીવાદિતત્ત્વોના બોધના ઉપાય રૂપે પ્રમાણ અને નયનો નિર્દેશ કર્યો. આથી પ્રમાણ અને નયનું નિરૂપણ કરવું જોઈએ. તથા સમ્યગ્દર્શનના નિરૂપણ પછી જ્ઞાનનું વર્ણન કરવું જોઈએ. પ્રમાણ અને નય એ જ્ઞાન સ્વરૂપ છે. આથી “ત્તિ વ્યુતાધિ-મન:પર્યાયવતાનિ જ્ઞાન' એ સૂત્રથી જ્ઞાન અને પ્રમાણ એ બંનેનું વર્ણન શરૂ કર્યું. તેત્રીસમા સૂત્ર સુધી તે વર્ણન ચાલ્યું. ત્યારબાદ બે સૂત્રોથી નયનું નિરૂપણ કર્યું. આમ પ્રથમ અધ્યાયમાં મુખ્યતયા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ બેનું અને સાથે સાથે જ્ઞાનના અંગ રૂપ પ્રમાણ અને નયનું પણ નિરૂપણ કર્યું. હવે ચારિત્રનું વર્ણન કરવું જોઈએ. પણ નવમા અધ્યાયમાં સંવરતત્ત્વના પ્રકરણમાં ચારિત્રનું વર્ણન આવવાનું હોવાથી અહીં તેનું નિરૂપણ કરવામાં આવ્યું નથી.
જીવાદિતત્ત્વો વિશે શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. આથી સાધકને જીવાદિતત્ત્વોને જાણવાની ઈચ્છા થાય એ સહજ છે. સાધકની જીવાદિતત્ત્વોની જિજ્ઞાસાને ખ્યાલમાં રાખીને સૂત્રકાર ભગવંત બીજા અધ્યાયથી ક્રમશઃ જીવાદિતત્ત્વોનું નિરૂપણ શરૂ કરે છે.
જીવના ભાવોऔपशमिक-क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य સ્વતિય -પરિધામ ૨ ૨-૨ /
પશમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદયિક, પારિણામિક એ પાંચ ભાવો જીવના સ્વતત્ત્વ છે, સ્વરૂપ છે, અર્થાત્ સ્વભાવ છે. ભાવ એટલે ગુણ કે ધર્મ
દરેક ચેતન કે જડ વસ્તુમાં અનેક ધર્મો છે. આથી જીવમાં પણ અનેક ગુણો છે. તો પ્રશ્ન થાય છે કે, અહીં પાંચ જ ભાવો (ગુણધર્મો) કેમ બતાવ્યા? આ પ્રશ્નનું સમાધાન એ છે કે, જીવમાં રહેલા અનેક ધર્મોનાં જે કારણો છે તે કારણો પાંચ છે. ઉપશમ, ક્ષય, મિશ્ર, ઉદય અને પરિણામ.