________________
૨૫૭
અ) ૬ સૂ૦૧૩] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
સાતવેદનીય કર્મના આસ્ત્રવોभूत-व्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः ક્ષત્તિઃ મિતિ સદસ્થ |
ભૂત-અનુકંપા, વ્રતી-અનુકંપા, દાન, સરાગ-સંયમ, આદિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતા આ સરાગસંયમાદિરૂપ યોગ, ક્ષમા અને શૌચ એ સતાવેદનીય કર્મના આવો છે.
(૧) ભૂત-અનુકંપા- ભૂત એટલે જીવ. સર્વ જીવો પ્રત્યે અનુકંપાના= દયાના પરિણામ.
(૨) વ્રતી-અનુકંપાવતીના અગારી અને અણગાર એમ બે પ્રકાર છે. ગૃહાવસ્થામાં રહીને સ્થૂલ પ્રાણાતિપાત આદિપાપોનો ત્યાગ કરનાર દેશવિરતિ શ્રાવક ઉગારી વ્રતી છે. સર્વ પ્રકારના પાપોનો ત્યાગ કરનાર પંચમહાવ્રતધારી સાધુઓ અણગાર વતી છે. બંને પ્રકારના વ્રતીની ભક્ત, પાન, વસ્ત્ર, પાત્ર, આશ્રય, ઔષધ આદિથી અનુકંપા=ભક્તિ કરવી એ વ્રતી અનુકંપા છે.
(૩) દાન-સ્વ-પર પ્રત્યે અનુગ્રહ બુદ્ધિથી પોતાની વસ્તુ પરને આપવી.
(૪) સરાગસંયમ– (સંજવલન) લોભાદિ કષાયો રાગ છે. રાગથી સહિત તે સરાગ. સંયમ એટલે પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્તિ. રાગ સહિત સંયમ તે સરાગસંયમ અથવા સરાગ (રાગ સહિત) વ્યક્તિનો સંયમ સરાગસંયમ. અર્થાત સંજવલન કષાયના ઉદયવાળા મુનિઓનું સંયમ એ સરાગસંયમ છે.
(૫) સંયમસંયમ– જેમાં આંશિક સંયમ હોય અને આંશિક અસંયમ હોય તે સંયમસંયમ, અર્થાત્ દેશવિરતિ.
(૬) અકામનિર્જરા કામ એટલે ઇચ્છા. નિર્જરા એટલે કર્મોનો ક્ષય. સ્વેચ્છાથી કર્મોનો નાશ તે સકામનિર્જરા અને ઇચ્છા વિના કર્મોનો નાશ તે અકામનિર્જરા. ઈચ્છા ન હોવા છતાં પરતંત્રતા, અનુરોધ, સાધનનો અભાવ, રોગ વગેરેના કારણે પાપપ્રવૃત્તિ ન કરે, વિષય સુખનું સેવન ન કરે, આવેલ કષ્ટ શાંતિથી સહન કરે, ઈત્યાદિથી અકામનિર્જરા થાય.
પરતંત્રતાથી અકામનિર્જરા– જેલમાં ગયેલ માણસ, નોકર વગેરે પરતંત્રતાના કારણે ઈષ્ટ વિયોગનું અને અનિષ્ટ સંયોગનું દુઃખ સહન કરે,