________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
મહાવ્રતોની સ્થિરતા માટે ચાર ભાવનાઓ– मैत्री - प्रमोद - कारुण्य- माध्यस्थ्यानि સત્ત્વશુળધિ-વિજ્ઞશ્યમાના-વિનયેષુ ॥ ૭-૬॥
મહાવ્રતોને સ્થિર રાખવા સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યસ્થ્ય(=ઉપેક્ષા)ભાવ રાખવો જોઇએ.
(૧) મૈત્રીભાવના— મૈત્રી એટલે જગતના સર્વ જીવો ઉ૫૨ હાર્દિક સ્નેહનો પરિણામ. અર્થાત્ કોઇ પણ જાતના સ્વાર્થ વિના અને કોઇ પણ જાતના ભેદભાવ વિના, જગતના સર્વ જીવો ઉપર પ્રીતિ એ મૈત્રી છે. સાધકે નાના-મોટા, ઉચ્ચ-નીચ, સ્વ-પર, ગરીબ-શ્રીમંત વગેરે કોઇ જાતના ભેદભાવ વિના જગતના તમામ પ્રાણીઓ ઉપર પ્રેમભાવ રાખવો જોઇએ. પોતાને દુઃખી કરનાર જીવ ઉપર પણ પ્રેમભાવ રાખવો જોઇએ. આ માટે સકલ પ્રાણી પ્રત્યે આત્મવત્ દૃષ્ટિ કેળવવી જોઇએ. તો જ સકલ જીવો પ્રત્યે મૈત્રી ભાવના આવે. મૈત્રી ભાવનાથી ભાવિત હૃદયવાળો સાધક જ હિંસા આદિ પાપોથી અટકી શકે છે. સાચા મિત્રના હૃદયમાં પોતાના મિત્રનો વધ ક૨વાની, ખોટું બોલીને તેને ઠગવાની, ચોરી કરીને તેનું ધન આદિ લઇ લેવાની ભાવના ન હોય. મૈત્રીભાવના યુક્ત સાધક જગતના તમામ જીવોને પોતાના મિત્ર માને છે. એટલે તેના હૃદયમાં જગતના તમામ જીવોના હિતની જ ભાવના હોય છે.૨ આથી અહિંસા આદિના પાલન માટે મૈત્રી ભાવ અનિવાર્ય છે.
૨૮૬
[અ૦ ૭ સૂ૦ ૬
(૨) પ્રમોદભાવના– પ્રમોદ એટલે માનસિક હર્ષ. ગુણથી અધિક જીવો ઉપર પ્રમોદ એ પ્રમોદ ભાવના છે. સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ ૧. મૈત્રી સર્વસત્ત્વવિષયĂરામ: (શ્રી હરિભદ્રસૂરિની ટીકા)
૨. આ દૃષ્ટિએ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પરહિતચિન્તા મૈત્રી-૫૨ના હિતની ચિંતાને=ભાવનાને મૈત્રી કહી છે. (ષોડશકગ્રંથ). મા ાધૃત્ જોડપિ પાપાનિ, મા ચ મૂત્ જોડનિ દુ:શ્વિતઃ 1 મુખ્યતાં નાર્વ્યા, મતિમંત્રી નિધતે॥ ૧ ॥ (શ્રી યોગશાસ્ત્ર) કોઇ પણ જીવ પાપ ન કરે, કોઇ પણ જીવ દુ:ખી ન થાય, સંપૂર્ણ જગત દુઃખથી મુક્ત થાય એવી ભાવના મૈત્રી છે. શિવમસ્તુ સર્વનાત: વગેરે પણ મૈત્રી ભાવના છે.
૩. અહીં ગુણાધિક શબ્દનો પોતાનાથી ગુણથી અધિક એવો અર્થ ન કરતાં ગુણથી અધિક એટલો જ અર્થ કરવો વધારે ઠીક છે. આચાર્યે ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરે ગુણી પ્રત્યે પ્રમોદભાવ રાખવો જોઇએ. ઉપાધ્યાય વગેરે આચાર્યથી ગુણથી અધિક