Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 461
________________ અ૦ ૯ સૂ૦ ૨૩] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ૪૧૭ વંદન, અન્નપાણીનું આદાન-પ્રદાન, આલાપ આદિનો પરિહાર (=ત્યાગ) કરવો એ પરિહાર પ્રાયશ્ચિત્ત. (૯) ઉપસ્થાપન– દોષોની શુદ્ધિ માટે દીક્ષાના પૂર્વપર્યાયનો ત્યાગ કરી બીજા નવા પર્યાયોમાં ઉપસ્થાપના કરવી. અર્થાત્ ફરીથી પ્રવ્રજ્યા આપવી એ ઉપસ્થાપન પ્રાયશ્ચિત્ત. નવતત્ત્વ પ્રકરણ આદિ ગ્રંથોમાં પરિહાર અને ઉપસ્થાપન એ બે પ્રાયશ્ચિત્તના સ્થાને મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિક એ ત્રણ ભેદ છે. મૂલ– મૂળથી(સર્વથા) ચારિત્ર પર્યાયનો છેદ કરવો. અર્થાત્ ફરીથી પ્રવ્રજ્યા આપવી. અનવસ્થાપ્ય– શુદ્ધિ માટે ગુરુએ આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી મહાવ્રતો ન ઉચ્ચરાવવા. પારાંચિક—સાધ્વીનો શીલભંગ વગેરે મોટા દોષોની શુદ્ધિ માટે ગચ્છની બહાર નીકળી ૧૨ વર્ષ સુધી છૂપાવેશમાં ફરે તથા શાસનની પ્રભાવના કરે, બાદ ફરી દીક્ષા લઇ ગચ્છમાં પ્રવેશ કરે એ પારાંચિક પ્રાયશ્ચિત્ત છે. તત્ત્વાર્થમાં નવતત્ત્વ પ્રકરણ આદિની જેમ પ્રાયશ્ચિત્તના દશ ભેદોનો નિર્દેશ ન કરતાં નવ ભેદોનો નિર્દેશ કેમ કર્યો એ અંગે વિચારતાં જણાય છે કે—વર્તમાનમાં અનવસ્થાપ્ય અને પારાંચિકનો વિચ્છેદ છે એથી તે બેનો નિર્દેશ નથી કર્યો તથા મૂલ અને ઉપસ્થાપનનો અર્થ સમાન છે, માત્ર શબ્દભેદ છે. એટલે મૂળના સ્થાને જ ઉપસ્થાપનનો નિર્દેશ કર્યો છે. આ દૃષ્ટિએ નવ ભેદોનો નિર્દેશ પણ સુસંગત છે. (૨૨) વિનયના ભેદો— જ્ઞાન-વર્ણન-ચારિત્રોપવાાઃ ॥ ૧-૨૨ ॥ જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, ઉપચારવિનય એમ વિનયના ચાર ભેદો છે. વિનયના મુખ્ય બે ભેદ છે—(૧) તાત્ત્વિક અને (૨) ઉપચાર. મોક્ષમાર્ગની (જ્ઞાન, દર્શન, ચારિત્રની) સ્વયં આરાધના ક૨વી એ તાત્ત્વિક વિનય. જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અન્ય આરાધકનો યથાયોગ્ય વિનય કરવો એ ઉપચાર વિનય, મોક્ષમાર્ગના ત્રણ ભેદ હોવાથી તાત્ત્વિક વિનયના જ્ઞાનવિનય આદિ ત્રણ મુખ્ય ભેદો છે. અવાંતર ભેદો અનેક છે.

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516