________________
અ) ૭ સૂ૦ ૧]
૨૭૩
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર સિાતમો અધ્યાય
પૂર્વે છઠ્ઠા અધ્યાયના તેરમા સૂત્રમાં વ્રતી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વ્રત ઉપરથી વ્રતી શબ્દ બન્યો છે. એટલે વ્રત અને વ્રતનું જ્ઞાન કરાવવું આવશ્યક છે. આથી આ અધ્યાયમાં વ્રતની વ્યાખ્યા, સાધુનાં તથા શ્રાવકનાં વ્રતોનું સ્વરૂપ, વ્રતીની વ્યાખ્યા વગેરે જણાવવામાં આવ્યું છે. જીવાદિ સાત તત્ત્વોની અપેક્ષાએ આ અધ્યાયમાં આસવતત્ત્વનું વર્ણન છે. કારણ કે આમાં વ્રતના અતિચારોનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્રતના અતિચારો આસવરૂપ છે. વ્રતના અતિચારોનું જ્ઞાન કરાવવા વ્રતોનું પણ જ્ઞાન કરાવવું જોઈએ. આથી આ અધ્યાયમાં વ્રતનું સ્વરૂપ વગેરે જણાવીને આસવરૂપ વ્રતના અતિચારોનું વર્ણન કરવામાં આવ્યું છે.
વ્રતની વ્યાખ્યાહિંસા-નૃત-સ્તેયા-હા-પશ્ચિમ્યો-વિતિર્વતમ્ II ૭-૨
હિંસા, અમૃત(=અસત્ય), સ્લેય(=ચોરી), અબ્રહ્મસૂત્રમૈથુન) અને પરિગ્રહ એ પાંચ પાપોને જાણીને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાથી એ પાંચ પાપોથી અટકવું એ વ્રત.
હિંસાના પાપથી અટકવું તે હિસાવિરમણવ્રત. અસત્યના પાપથી અટકવું તે મૃષાવાદવિરમણવ્રત. એમ યાવત્ પરિગ્રહથી અટકવું તે પરિગ્રહ વિરમણવ્રત. મુખ્ય પાપો પાંચ હોવાથી મુખ્ય વ્રતો પાંચ છે. તેમાં પણ હિસાવિરમણવ્રત(=અહિંસા વ્રત) મુખ્ય છે. શેષ ચાર વ્રતો જેમ ધાન્યની રક્ષા કરવા ખેતરમાં ચારે બાજુ વાડ હોય છે તેમ પ્રથમ વ્રતની રક્ષા માટે વાડ સ્વરૂપ છે. યદ્યપિ સાધુઓને માટે છઠું રાત્રિભોજન વિરમણવ્રત પણ છે. છતાં અહીં મુખ્ય=સર્વસામાન્ય વ્રતોની ગણતરી હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. અહીં વ્રતની વ્યાખ્યામાં વ્રતને નિવૃત્તિ રૂપ બતાવેલ છે, પણ અથપત્તિથી ત નિવૃત્તિ-પ્રવૃત્તિ ઉભય સ્વરૂપ છે. કારણ કે નિવૃત્તિ-પ્રવૃત્તિ ૧. હિંસા આદિની વ્યાખ્યા માટે જુઓ આ અધ્યાયમાં સૂત્ર-૮ વગેરે. ૨. ૨૨ જિનેશ્વરોના શાસનમાં આ વ્રત નથી. તેમ જ શ્રાવકનાં વ્રતોમાં પણ એની વ્રત તરીકે
ગણતરી કરવામાં આવી નથી.