________________
૧૭૦
દેવો
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
વૈમાનિક દેવોના અવધિજ્ઞાનના ક્ષેત્રનું યંત્ર
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ મધો અવધિ
ઊર્ધ્વ અવધિ
૧-૨ ક્ય
૩-૪
૫-૬ ક્ષ
૭-૮ કલ્પ
૯ થી ૧૨ કલ્ય ૧ થી ૬ વે.
૭ થી ૯ ત્રૈવે.
lak h ]×××5] -PhPh
પહેલી પૃથ્વીના અંત સુધી બીજી પૃથ્વીના અંત સુધી ત્રીજી પૃથ્વીના અંત સુધી ચોથી પૃથ્વીના અંત સુધી પાંચમી પૃથ્વીના અંત સુધી
છઠ્ઠી પૃથ્વીના અંત સુધી સાતમી પૃથ્વીના અંત સુધી
લોક નાલિકાના અંત સુધી
૧૦૪ ૨૦૨૨
ઉત્કૃષ્ટ તિર્થંગ્ અવધિ
અસંખ્યાત યોજન સુધી, ઉપર ઉપરના
દેવોનું
fa]le Fille lalit Phoe
સમજવું.
પાંચ અનુત્તર
સ્વયંભૂરમણસમુદ્ર સુધી 'સાગરોપમથી ઓછી તેમ તેમ ક્રમશઃ ગતિની શક્તિ હીન હીન થતી જાય છે. યાવત્ સર્વજધન્ય સ્થિતિવાળા દેવો નીચે ચોથી પૃથ્વી સુધી જઇ શકે છે. શક્તિની અપેક્ષાએ આ વિચારણા છે. ગમન તો માત્ર ત્રીજી પૃથ્વી સુધી થાય છે. શક્તિ હોવા છતાં દેવો પ્રયોજનવશાત્ ત્રીજી પૃથ્વી સુધી જાય છે, પ્રાય: એથી આગળ જતા નથી. ઉપર ઉપરના દેવોમાં મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક અધિક હોવાથી તેઓ અધિક ગતિ કરતા નથી. નવપ્રૈવેયક અને પાંચ અનુત્તરના દેવો તો કદી પણ પોતાના વિમાનથી બહાર જતા જ નથી.
(૨) શરીરનું પ્રમાણ પણ ઉપર ઉપરના દેવોને ઓછું ઓછું હોય છે. સૌધર્મ-ઇશાનમાં સાત હાથ ઊંચું, સનતકુમાર માહેન્દ્રમાં છ હાથ ઊંચું, બ્રહ્મલોક-લાંતકમાં પાંચ હાથ ઊંચું, મહાશુક્ર-સહસારમાં ચાર હાથ ઊંચું, ૯ થી ૧૨ દેવલોકમાં ત્રણ હાથ ઊંચું, નવપ્રૈવેયકમાં બે હાથ ઊંચું અને પાંચ અનુત્તરમાં એક હાથ ઊંચું દેવોનું શરીર હોય છે.
(૩) અહીં પરિગ્રહ શબ્દથી વિમાનોનો પરિવાર અભિપ્રેત છે. વૈમાનિક નિકાયમાં ઇન્દ્રક, શ્રેણિગત અને પુષ્પપ્રકીર્ણક એમ ત્રણ પ્રકારનાં વિમાનો હોય છે. બરોબર મધ્યમાં આવેલ વિમાનને ઇન્દ્રક કહેવામાં આવે છે. ૧. સીતેન્દ્ર ચોથી નરકમાં ગયા હતા. માથી અહીં પ્રાયઃ કહ્યું છે.
૨. સૂત્રમાં ઉપર ઉપરના દેવોની ગતિ હીન હીન થાય છે, એમ કહ્યું છે. જ્યારે ભાગમાં સ્થિતિની ન્યૂનતાની અપેક્ષાએ ગતિની હીનતા જણાવી છે. તત્ત્વ કેવલીગમ.