________________
અ૦૧ સૂ૦ ૫ શ્રીતત્ત્વાધિગમસૂત્ર છે. અજીવ, આસવ અને બંધ એ ત્રણ તત્ત્વો હેય (ત્યાગ કરવા યોગ્ય) છે. નવ તત્ત્વોની અપેક્ષાએ પાપ સર્વથા હેય છે. પુણ્ય અપેક્ષાએ હેય પણ છે અને અપેક્ષાએ ઉપાદેય પણ છે. અશુદ્ધ પુણ્ય સર્વથા હેય છે. શુદ્ધ પુણ્ય વ્યવહારથી અમુક કક્ષા સુધી ઉપાદેય છે. શુદ્ધ પુણ્ય ભોમિયાની ગરજ સારે છે. જેમાં મુસાફરોને વિકટ પંથે જવામાં ભોમીયો મદદ કરે છે અને પછી પાછો વળી જાય છે, તેમ શુદ્ધ પુણ્ય જીવને આધ્યાત્મિક વિકાસ કરવામાં જરૂરી માનવભવ, આયદિશ આદિ સામગ્રી આપવા દ્વારા આધ્યાત્મિક વિકાસ સાધવામાં મદદ કરે છે અને કાર્ય પૂર્ણ થતાં વિદાય લે છે. જેમ અગ્નિ કાષ્ઠ વગેરેને બાળીને સ્વયં શાંત થઈ જાય છે તેમ, શુદ્ધ પુણ્ય પાપનો નાશ કરી સ્વયમેવ ક્ષીણ થઈ જાય છે. આથી અપેક્ષાએ પુણ્ય ઉપાદેય છે. પણ નિશ્ચયથી તો શુદ્ધ પુણ્ય પણ હેય છે. કારણ કે તે જીવની સ્વતંત્રતાને રોકે છે. કર્મમાત્ર જીવની સ્વતંત્રતાને રોકતા હોવાથી બેડી સમાન છે. પાપ કર્મ લોખંડની બેડી સમાન છે, તો પુણ્ય કર્મ સુવર્ણની બેડી સમાન છે.
તત્ત્વોનો પરસ્પર સંબંધ
જીવતત્ત્વમાં અજીવન=કમ)તત્ત્વનો આસવ=પ્રવેશ થાય છે. જીવતત્ત્વમાં અજીવન=કમ)તત્ત્વનો આસ્રવ થવાથી બંધ થાય છે, એટલે કે જીવની સાથે અજીવ(-કર્મ પુદ્ગલો) ક્ષીરનીરવત્ એકમેક બની જાય છે. કર્મનો બંધ થવાથી કર્મનો ઉદય થાય છે. કર્મના ઉદયથી સંસારમાં પરિભ્રમણ અને દુઃખનો અનુભવ થાય છે, આમ દુઃખનું મૂળ કારણ આસવતત્ત્વ છે. આથી દુઃખ દૂર કરવા આસવનો નિરોધ કરવો જોઇએ. આસવનો નિરોધ એટલે સંવર. પૂર્વે બંધાયેલ કર્મોનો નાશ કરવા નિર્જરાતત્ત્વ જરૂરી છે. સંવરથી કર્મોનો બંધ થતો નથી અને નિર્જરાથી પૂર્વે બંધાયેલા કર્મોનો ક્ષય થાય છે. આથી સંવર અને નિર્જરાથી આત્મા સર્વથા કર્મરહિત બને છે. આત્માની સર્વથા કર્મરહિત અવસ્થા એ મોક્ષ. (૪).
તત્ત્વોના નિક્ષેપનો નિર્દેશનામ-સ્થાપના-દ્રવ્ય-માવેતસ્વાસ: | ૧-|
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર તારો વડે જીવાદિ તત્ત્વોનો ન્યાસ=નિક્ષેપ થઇ શકે છે, અર્થાત્ નામ આદિ ચાર દ્વારો વડે જીવાદિ તત્ત્વોનું