________________
૩૮
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અિ૦ ૧ સૂ૦ ૧૯ મતિજ્ઞાનના મૃતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એમ બે ભેદો છે. અહીં શ્રુત એટલે કેવળ આગમગ્રંથ એ અર્થ નથી, પરંતુ પરોપદેશ, આગમગ્રંથ વગેરેથી કોઈ પણ રીતે જે સાંભળવામાં-જાણવામાં આવે તે શ્રુત. આ શ્રુતથી સંસ્કારિત બનેલ મતિજ્ઞાન ઋતનિશ્ચિત છે. અર્થાત્ પૂર્વે ઉપદેશ આદિ દ્વારા જાયું હોય પણ વ્યવહાર કાળે શ્રુતનો ઉપયોગ કરવાના સમયે ઉપદેશ આદિના ઉપયોગ વિના થતી મતિ કૃતનિશ્ચિત છે. જેમ કે–ઘડો લાવવાનું કહેતાં અમુક વસ્તુને ઘડો કહેવાય. લાવવું એટલે અમુક સ્થાને પડેલા ઘડા નામની વસ્તુને અમુક સ્થળે મૂકવું એમ વિચાર કર્યા વિના જ ઘડો લાવીને મૂકી દે. અહીં ઘડો લાવવાનું કહેતાં જે મતિજ્ઞાન થયું=ઘડો લાવવો એટલે શું કરવું એવું જ્ઞાન થયું તે કૃતનિશ્ચિત છે. કૃતનિશ્રિતમાં પૂર્વે જાણેલું હોય છે, પણ કાર્ય સમયે તેનો ( પૂર્વે જાણેલનો) ઉપયોગ હોતો નથી. ઘડો લાવવો એટલે શું એ પૂર્વે જાણી લીધું છે. પણ “ઘડો લાવ' એવું કહેવામાં આવે ત્યારે ઘડો લાવવો એટલે શું? એ વિચાર કર્યા વિના ઘડો લાવવામાં આવે છે. આમ પૂર્વે જાણેલ હોય, પણ વ્યવહારકાળે તેનો ઉપયોગ કર્યા વિના ઉત્પન્ન થતી મતિ કૃતનિશ્ચિત છે.
પૂર્વે ક્યારે પણ જાણ્યું જ ન હોવા છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાનના લયોપશમથી ઉત્પન્ન થતી મતિ અશ્રુતનિશ્રિત છે. જેમ કે–અભયકુમાર, બીરબલ આદિની બુદ્ધિ. પૂર્વે બતાવેલ ૩૩૬ ભેદો શ્રતનિશ્રિત પતિના છે. અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદો છે–(૧) ઔત્પાતિકી (૨) વૈનયિકી (૩) કાર્મિકી અને (૪) પારિણામિકી.
(૧) ઔત્પાતિકી– વિશિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી મતિ. જેમ કે–બીરબલ, અભયકુમાર, રોહક વગેરેની મતિ.
(૨) વૈયિકી- ગુરુ આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ. જેમ કેનિમિત્તજ્ઞ શિષ્યની મતિ.
(૩) કાર્મિકી– અભ્યાસ કરતાં કરતાં પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે ચોર અને ખેડૂતની મતિ.