________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૨૧-૨૨
(૧૩-૧૪) અંગપ્રવિષ્ટશ્રુત-અંગબાહ્યશ્રુત- ગણધરોએ રચેલી દ્વાદશાંગી અંગપ્રવિષ્ટશ્રુત છે. શ્રુતના વિશુદ્ધબોધવાળા આચાર્યો વગેરેએ દ્વાદશાંગીના આધારે રચેલું શ્રુત અંગબાહ્યશ્રુત છે.
આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદોનું વર્ણન પૂર્ણ થયું. (૨૦) અવધિજ્ઞાનના ભેદો ત્રિવિયોવધિ: ૫ -૨૬ ॥
અધિના બે ભેદ છે—(૧) ભવ પ્રત્યય (૨) ક્ષયોપશમ પ્રત્યય.
પ્રત્યય એટલે નિમિત્ત. ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવપ્રત્યય. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય તે ક્ષયોપશમ પ્રત્યય. (૨૧) ભવપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી– ભવપ્રત્યયો ના દેવાનામ્ ॥ ૧-૨૨ ॥
નારકો અને દેવોને ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે.
યદ્યપિ ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં પણ કર્મનો ક્ષયોપશમ જરૂરી છે, છતાં નારક અને દેવનો ભવ મળતાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અવશ્ય થાય છે. આથી ક્ષયોપશમની અપેક્ષાએ ભવની પ્રધાનતા હોવાથી નારક અને દેવભવમાં થતું અવધિજ્ઞાન ભવપ્રત્યય છે. જેમ પક્ષીના ભવમાં પાંખો અવશ્ય હોય છે, ચક્રવર્તી આદિના ભવમાં વિશિષ્ટ બળ આદિની પ્રાપ્તિ અવશ્ય હોય છે, તેમ ના૨ક અને દેવભવમાં અવધિજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે.
નારકોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર- પહેલી આદિ નરકમાં અનુક્રમે II, ૩, ૨, ૨, ૧૫, ૧ અને ગા ગાઉ જઘન્ય અવધિક્ષેત્ર છે, અને જઘન્ય અવધક્ષેત્રથી । ગાઉ અધિક ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર છે, અર્થાત્ ૪, ૩ા, ૩, ૨, ૨, ૧।। અને ૧ ગાઉ ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર છે. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કમાં અવધિક્ષેત્ર
૪૬
ઉત્કૃષ્ટ તિર્યક્— જે દેવોનું અર્ધસાગરોપમથી ન્યૂન આયુષ્ય હોય તેમને સંખ્યાતયોજન, તેથી અધિક આયુષ્યવાળાને અસંખ્યાતયોજન. જેમ જેમ આયુષ્ય અધિક તેમ તેમ અસંખ્યાતનું પ્રમાણ મોટું સમજવું.
ઉત્કૃષ્ટ ઊર્ધ્વ— ભવનપતિને સૌધર્મ સુધી, વ્યંતર-જ્યોતિષને સંખ્યાતયોજન.