________________
અ૦૧ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
કર્મગ્રંથનિર્દિષ્ટ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો
કર્મગ્રંથમાં શ્રુતજ્ઞાનના અક્ષરકૃત વગેરે સાત અને તેનાથી વિપરીત અનક્ષરદ્યુત વગેરે સાત એમ કુલ ચૌદ ભેદો જણાવ્યા છે. તે આ પ્રમાણે– અક્ષરદ્યુત-અનફરશ્રુત, સંશ્રુિત-અસંશ્રિત, સમ્યફઋત-મિથ્યાશ્રુત, સાદિઠુત-અનાદિબ્રુત, સપર્યવસિતશ્રુત-અપર્યવસિતશ્રુત, ગમિકશ્રુતઅગમિકશ્રુત, અંગપ્રવિષ્ટદ્યુત-અનંગપ્રવિષ્ટશ્રુત.
(૧-૨) અક્ષરદ્યુત-અનક્ષરદ્યુત- અક્ષરદ્યુતના સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એમ ત્રણ ભેદો છે. વિવિધ લિપી તે સંજ્ઞાક્ષર. જેમ કેસંસ્કૃતમાં , ૧, ૨, ૩ એમ લખાય. ગુજરાતીમાં અ, બ, ક, ડ એમ લખાય. ઇંગ્લિશમાં A, B, C, D એમ લખાય. અ થી ઔ સુધીના ૧૪ સ્વરો, અનુસ્વાર, વિસર્ગ, કથી હસુધીના ૩૩ વ્યંજનો અને ળ, ક્ષ, જ્ઞ એમ મળીને કુલ બાવન અક્ષરોનો ઉચ્ચાર કરવો બોલવા તે વ્યંજનાક્ષર છે. ટૂંકમાં લખાય તે સંજ્ઞાક્ષર અને બોલાય તે વ્યંજનાક્ષર.
લખેલા અક્ષરો પુદ્ગલરૂપ છે અને બોલેલા અક્ષરો પણ ભાષાવર્ગણાના પુદ્ગલો જ છે. આ બંને પ્રકારના અક્ષરો પુદ્ગલ સ્વરૂપ હોવાથી જડ છે. એટલે કે જ્ઞાનરૂપ નથી, કિંતુ અજ્ઞાનરૂપ છે. આમ છતાં લધ્યક્ષર રૂપ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ બંને પ્રકારના અક્ષરોને પણ શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. આમ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર, ઔપચારિક શ્રુત હોવાથી દ્રવ્યશ્રત છે અને લધ્યક્ષર વાસ્તવિક શ્રુત હોવાથી ભાવશ્રુત છે. (ભાવનું છે કારણ હોય તેને દ્રવ્ય કહેવાય.)
શબ્દો સાંભળીને કે વાંચીને આત્મામાં થતો અર્થબોધ લધ્યક્ષશ્રુત છે. અક્ષર વિના હાથથી ઇશારો, ખોંખારો વગેરે સંકેતથી થતું જ્ઞાન અનારકૃત છે.
(૩-૪) સંક્ષિશ્રુત-અસંજ્ઞિકૃત– દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવોમાં થતું શ્રુતજ્ઞાન સંન્નિશ્રત છે. તે સિવાયના એકેન્દ્રિય વગેરે જીવોનું શ્રુતજ્ઞાન અસંશ્રિત છે. દીર્ઘકાલિકી વગેરે ત્રણ સંજ્ઞાનું સ્વરૂપ બીજા અધ્યાયના પચીસમા સૂત્રમાં જણાવ્યું છે.