________________
૧૧૮
વિશેષાર્થ :
સૂત્રસંવેદના-૪
‘સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણ' વ્રતનો સ્વીકાર કર્યા પછી શ્રાવકે સ્વીકારેલા વ્રતના પાલન માટે સતત સાવધ રહેવું જોઈએ. કામવાસનાઓનો નાશ કરવા સતત ભોગની ભયંકરતાને વિચારવી જોઈએ. આમ છતાં તીવ્ર વેદના ઉદયકાળમાં ઘણી વાર તે મન અને ઈન્દ્રિયો પરનો સંયમ ખોઈ બેસે છે. આવી પરિસ્થિતિમાં, ક્યારેક તેના દ્વારા વ્રતને મલિન કરે તેવા અતિચારોનું આસેવન થઈ જાય છે, જેના સામાન્યથી પાંચ પ્રકારો આ પ્રમાણે છે
અપરિ—હિમા - અપરિગૃહીતાગમન.
જે સ્ત્રી કોઈથી ગ્રહણ કરાયેલી નથી તેવી કન્યા, વેશ્યા કે વિધવા સ્ત્રી સાથે ગમન કરવું, ‘આ સ્ત્રી કોઈની નથી માટે પરદારા નથી = બીજાની સ્ત્રી નથી', એમ માની તીવ્ર ભોગાસક્તિના કાળમાં સ્વસ્ત્રીથી સંતોષ ન થતાં, આવી સ્ત્રી સાથે દુઃખાર્દ્ર હૃદયે ગમન કરવું, તે આ વ્રતવિષયક ‘અપરિગૃહીતાગમન' નામનો પ્રથમ અતિચાર છે.
ફત્તર – ઈત્વરપરિગૃહીતાગમન.
ઈત્વર એટલે થોડો કાળ. અમુકકાળ પૂરતી પગારથી રાખેલી ૨ખાત સ્ત્રીનો ભોગ કરવો, તે ‘ઈત્વરપરિગૃહીતાગમન' નામનો બીજો અતિચાર છે.
જેણે ‘પરદારાગમનની વિરતિ' સ્વીકારી છે, તેના માટે આ બંને પ્રવૃત્તિઓ અતિચાર સ્વરૂપ છે. પરંતુ ‘સ્વારાસંતોષ-પરદારાગમનની વિરતિ' જેણે સ્વીકારી છે, તેને માટે તો રખાત કે વિધવા, વેશ્યા આદિ પણ સ્વદારા સિવાયની હોવાથી આ પ્રવૃત્તિઓ અનાચાર જ છે.
સત્ત – અનંગક્રીડા કરવી.
અનંગ એટલે કામ; તેને જગાડનારી અર્થાત્ કામવાસનાને ઉત્તેજિત કરનારી વિવિધ ક્રીડા કરવી. અથવા ભોગના મુખ્ય અંગને છોડીને સ્તન, ઓષ્ઠ વંગેરે અંગોનાં ચુંબન, આલિંગન આદિ કામોત્તેજક ચેષ્ટાઓ ક૨વી તે અનંગ઼ક્રીડા નામનો ત્રીજો અતિચાર છે. આવી ક્રિયાઓ ચોથા વ્રતને દૂષિત કરે છે.
અહીં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ત્રણ અતિચારો શ્રાવકપણામાં ઘટતા