Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 229
________________ ૨૦૮ સૂત્રસંવેદના-૪ સાધકે હંમેશાં તૈયારી કરવી જોઈએ, અને શાસ્ત્રમાં જણાવેલી આ ભાવનાઓથી હૃદયને ખાસ ભાવિત કરવું જોઈએ. એકત્વ ભાવના - હું એકલો આવ્યો છું અને મારે એકલા જ જવાનું છે. અહીં પણ મારા કર્માનુસાર જ મને સુખ-દુ:ખ મળવાનાં છે. દુઃખમાં સહાય કરનારે અને સુખને આપનાર મારાં કર્મ સિવાય કોઈ નથી. આ રીતે એકત્વભાવનાથી હૃદયને ભાવિત કરવું. શ્રુત ભાવના - સમાધિભાવની પૂરક શાસ્ત્રપંક્તિઓ વાંચી, વિચારી, કંઠસ્થ કરી, તેના ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરી શ્રતને એ રીતે ભાવિત કરવું કે ગમે તેવી આપત્તિમાં તેના સહારે મનને સમાધિમાં રાખી શકાય. . તપ ભાવના - શક્તિ મુજબ તપ કરવાનું ચાલુ રાખવું, જેના કારણે રોગાદિમાં આહાર-પાણી ન લઈ શકાય કે સ્વેચ્છાથી અણસણ વગેરે સ્વીકાર્યું હોય ત્યારે સુધા-તૃષાની વેદનાના સમયે મન અકળાઈ ન જાય. સત્ત્વ ભાવના - મહાપુરુષોનાં ચરિત્રોનો વિચાર કરી સર્વ સ્થિતિમાં નિર્ભય રહેવાનો પ્રયત્ન કરવો. બળ ભાવના - ગમે તેવી આપત્તિમાં પણ ધીરજ ખૂટી ન જાય તે માટે શરીરબળ અને મનોબળને કેળવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત નીચેના મુદ્દાઓનું પણ સતત ભાવન કરવું. + આત્માને શરીરથી ભિન્ન જોતાં શીખવું. જે થાય છે તે શરીરને થાય છે, મને આત્માને) કાંઈ થતું નથી; અને જે શરીરને પંપાળું છું, તે તો અહીં જ મૂકીને જવાનું છે, તે વાતને અતિ દઢ કરવી. અરિહંતાદિના ધ્યાનમાં મનને સ્થિર કરવા યત્ન કરવો. કરેલાં દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરવી અને ગુરુ સમક્ષ ગઈ કરવી. * સુકૃતોનું સતત સ્મરણ કરવું. અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારવું.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280