SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સૂત્રસંવેદના-૪ સાધકે હંમેશાં તૈયારી કરવી જોઈએ, અને શાસ્ત્રમાં જણાવેલી આ ભાવનાઓથી હૃદયને ખાસ ભાવિત કરવું જોઈએ. એકત્વ ભાવના - હું એકલો આવ્યો છું અને મારે એકલા જ જવાનું છે. અહીં પણ મારા કર્માનુસાર જ મને સુખ-દુ:ખ મળવાનાં છે. દુઃખમાં સહાય કરનારે અને સુખને આપનાર મારાં કર્મ સિવાય કોઈ નથી. આ રીતે એકત્વભાવનાથી હૃદયને ભાવિત કરવું. શ્રુત ભાવના - સમાધિભાવની પૂરક શાસ્ત્રપંક્તિઓ વાંચી, વિચારી, કંઠસ્થ કરી, તેના ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરી શ્રતને એ રીતે ભાવિત કરવું કે ગમે તેવી આપત્તિમાં તેના સહારે મનને સમાધિમાં રાખી શકાય. . તપ ભાવના - શક્તિ મુજબ તપ કરવાનું ચાલુ રાખવું, જેના કારણે રોગાદિમાં આહાર-પાણી ન લઈ શકાય કે સ્વેચ્છાથી અણસણ વગેરે સ્વીકાર્યું હોય ત્યારે સુધા-તૃષાની વેદનાના સમયે મન અકળાઈ ન જાય. સત્ત્વ ભાવના - મહાપુરુષોનાં ચરિત્રોનો વિચાર કરી સર્વ સ્થિતિમાં નિર્ભય રહેવાનો પ્રયત્ન કરવો. બળ ભાવના - ગમે તેવી આપત્તિમાં પણ ધીરજ ખૂટી ન જાય તે માટે શરીરબળ અને મનોબળને કેળવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત નીચેના મુદ્દાઓનું પણ સતત ભાવન કરવું. + આત્માને શરીરથી ભિન્ન જોતાં શીખવું. જે થાય છે તે શરીરને થાય છે, મને આત્માને) કાંઈ થતું નથી; અને જે શરીરને પંપાળું છું, તે તો અહીં જ મૂકીને જવાનું છે, તે વાતને અતિ દઢ કરવી. અરિહંતાદિના ધ્યાનમાં મનને સ્થિર કરવા યત્ન કરવો. કરેલાં દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરવી અને ગુરુ સમક્ષ ગઈ કરવી. * સુકૃતોનું સતત સ્મરણ કરવું. અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારવું.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy