Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 250
________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૨૯ તૃપ્તિ મૂળ ગાથામાં મળુ' શબ્દ મૂક્યો છે તેનું કારણ એ છે કે ચારેય ગતિના જીવો પાપકર્મ કરે છે, અને તેથી કપાપવાળા તો સર્વે છે, પણ કરેલાં પાપોનું પ્રતિક્રમણ કરી, સંપૂર્ણ શુદ્ધ થવાની શક્તિ માત્ર મનુષ્યની છે. જો કે, દેવ કે નરકના ભવમાં સમ્યગ્દર્શન છે, પણ પાપનાશક વિરતિની ક્રિયારૂપ પ્રતિક્રમણ ત્યાં નથી. તિર્યંચના ભવમાં દેશવિરતિ છે, પરંતુ તેમની પાસે પણ પ્રતિક્રમણની ક્રિયા દ્વારા સંપૂર્ણ શુદ્ધ થવાની શક્તિ કે મનુષ્ય જેવી સાનુકૂળતા નથી. કૃતપાપવાળો મનુષ્ય શું કરે ? ગાટોફર વિંતિ પુરસTIણે - ગુરુ સમક્ષ આલોચના કરીને, નિંદા કરીને. પોતે કરેલાં પાપોની ગમે તેની પાસે કે ગમે ત્યાં આલોચના કરવાથી શ્રાવકને લાભ થતો નથી. આથી પાપના બોજ તળે દબાયેલો શ્રાવક પહેલાં ગુરુની શોધ કરે છે. સદ્ગુરુ મળે તો તેમની સમક્ષ પશ્ચાત્તાપપૂર્વક પાપનું પ્રકાશન કરે, અને ગુરુ ન જ મળે તો (જ્ઞાનાદિના ઉપકરણમાં) ગુરુની સ્થાપના કરી, “ગુરુભગવંત મારી સમક્ષ જ છે' તેવો ભાવ હૃદયમાં ધારણ કરી, નતમસ્તકે, જે પાપ, જે રીતે, જે ભાવથી, કર્યા હોય, તે પાપની તે રીતે આલોચના કરી, શ્રાવક કહે, “હે ભગવંત સંસારના રાગને કારણે કે પ્રમાદના કારણે મેં ઘણાં પાપ કર્યા છે. તે મેં ખોટું કર્યું છે. મારા પ્રમાદાદિ દોષને ધિક્કાર છે !” તે સ્વરૂપે નિંદા કરે. આ રીતે આલોચના અને નિંદા કરવાથી શું પરિણામ આવે છે ? તે હવે જણાવે છે દોડ઼ કા દુગો - અત્યંત હળવો થાય છે. પાપના ભારથી દબાયેલો પણ શ્રાવક, ગુરુ સમક્ષ આ રીતે આલોચના અને નિંદા કરીને અત્યંત હળવો થઈ જાય છે. જ્યાં સુધી આ રીતે આલોચના નહોતી કરી ત્યાં સુધી તેના મન ઉપર પાપનો બોજો હતો, “આ પાપથી મારું શું થશે ?” તેની ચિંતા હતી, પાપના કેવા વિપાકો વેઠવા પડશે ? તેનો ભય હતો; પરંતુ એકવાર સરળભાવે, પશ્ચાત્તાપ સાથે, ગુરુભગવંત પાસે જે પાપ, જે રીતે થયું છે ? તે જણાવી દીધા પછી, અને ગુરુભગવંતે આપેલું પ્રાયશ્ચિત્ત સ્વીકારી લીધા પછી, તેને વિશ્વાસ થઈ જાય છે કે હવે મારે કોઈ ચિંતા નથી, હવે મને કોઈ ડર નથી,

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280