Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 270
________________ ઉપસંહારની ધર્મારાધના ૨૪૯ ઉપર પૂર્ણ શ્રદ્ધા તે બોધિ (સમ્યગ્દર્શન) છે. આ બોધિ અને સમાધિ તે જ સુખનું મૂળ છે, તે જ દુ:ખનાશનું કારણ છે; માટે વાસ્તવિક સુખને ઈચ્છતો સાધક સમ્યગુદૃષ્ટિ દેવોને ઉદ્દેશીને પ્રાર્થના કરતાં કહે છે કે- “હે સમ્યગદષ્ટિ દેવો ! આપ બોધિ અને કાંઈક અંશે સમાધિને પણ વરેલા છો, વળી આપ મારી પ્રાર્થનાને સાંભળી મને સહાય કરી શકો તેમ છો. માટે કહું છું કે આપ મને નિર્મળ બોધિ અને સમાધિ આપો !” સમ્યગુદૃષ્ટિ દેવોને ઉદ્દેશીને અહીં જે સમાધિ અને બોધિની પ્રાર્થના કરી છે, તેમાં સમાધિનો અર્થ છે ચિત્તની સ્વસ્થતા. ચિત્તની સ્વસ્થતા એટલે અનુકૂળતા કે પ્રતિકૂળતામાં મન એક સરખું રહે. સારા કે અનુકૂળ ભાવોમાં રાગ, આસક્તિ કે મમતાના કારણે મનમાં વિહ્વળતા ન થાય, અને ખરાબ કે પ્રતિકુળ ભાવોમાં દ્વેષ, અણગમો કે અરુચિને કારણે મનમાં લેશ પણ વ્યથા કે પીડા ન થાય; પરંતુ, સર્વસ્થિતિમાં મન એક સરખા ભાવમાં ટકી રહે, તેનું નામ સમાધિ છે. સામાન્ય સંયોગોમાં સમાધિને જાળવતો શ્રાવક પણ વિશેષ પ્રકારના સંયોગો ઊભા થતાં સ્વયં સમાધિ જાળવી શકતો નથી. માટે તે સમ્યગુદૃષ્ટિ દેવો પાસે માંગણી કરે છે કે “હે સમ્યગુદૃષ્ટિ દેવો ! આપ સમાધિમાં વિન કરનારાં કારણોને દૂર કરવા દ્વારા મને સમાધિ આપો !”, “ જિજ્ઞાસા : બોધિ અને સમાધિ આ બંને ગુણો માંગવાથી મળતા નથી, અને આંતરિક ગુણોમાં આપ-લે પણ થતી નથી. તો આવી માંગણી શા માટે ? વળી સમ્યગુદૃષ્ટિ દેવો પાસે શા માટે ? તૃપ્તિ : બોધિ અને સમાધિ આ બંને આંતરિક ગુણો છે, બાહ્ય પદાર્થોની જેમ આંતરિક ગુણોમાં લેવા-દેવાની ક્રિયા થઈ શકતી નથી; તોપણ હૃદયપૂર્વક કરાયેલી આ પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી, કેમ કે આ રીતે પ્રાર્થના કરવાથી અંતરમાં એક પ્રકારનો શુભ ભાવ પ્રગટે છે. પ્રગટ થયેલો આ શુભ ભાવ બોધિ આદિ ગુણોમાં વિઘ્ન કરનારા કર્મનો નાશ કરી ગુણોને પ્રગટાવે છે. વળી આ રીતે પ્રાર્થના કરવાથી ગુણપ્રાપ્તિ માટેનો પોતાનો વર્ષોલ્લાસ પણ વધે છે. આથી આંતરિક ગુણોમાં ભલે આપ-લે ન થાય, તોપણ પ્રાર્થના કરવી યોગ્ય છે, વળી, સમ્યગ્દષ્ટિ દેવો આ ગુણને આપવા સમર્થ નથી, તો પણ આ ગુણોમાં વિજ્ઞકારક ઉપસર્ગોને દૂર કરી શકે છે, બાહ્ય અનુકૂળતાઓને ઊભી કરી શકે છે, અને તે દ્વારા સમાધિ-બોધિમાં જરૂર સહાયક બને છે. પૂર્વકાળમાં મેતાર્યમુનિ વગેરે ઘણા સાધકોને પોતાના મિત્ર દેવે બાહ્ય અનુકૂળતા ઊભી કરવા દ્વારા સહાય 2. “સમાધિ ચિત્તસ્વા' - અર્થદીપિકા

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280