________________
બારમું વ્રત
૧૮૯
વિશેષાર્થ :
સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં છેલ્લું ‘અતિથિસંવિભાગવ્રત' છે. અતિથિને દાન આપી પછી ભોજન કરવું તેને અતિથિસંવિભાગવ્રત કહેવાય છે. તેમાં જેણે તિથિ', પર્વ કે લૌકિક વ્યવહારનો ત્યાગ કર્યો છે અર્થાત્ જેમને અમુક પર્વ દિવસે જ આરાધના કરવી તેવું નથી, પરંતુ સર્વ ક્ષણો જેમની આત્મધર્મની સાધના માટે છે, તેવા મહાપુરુષોને અતિથિ કહેવાય છે. આવા અતિથિ તરીકે ભિક્ષુ આદિનો સમાવેશ થઈ શકે છે, પરંતુ પ્રસ્તુતમાં શ્રાવકધર્મનો અધિકાર હોવાથી અતિથિરૂપે વીતરાગપ્રણીત સંયમની સાધના કરનારા સાધુભગવંતોને જ અતિથિ સમજવા, અને તેમને સંયમાદિ ગુણ્યોની પુષ્ટિ કરે તેવા આહાર, વસ્ત્ર, પાત્ર કે ઔષધાદિનું વિધિવત્ દાન કરવું તે અતિથિ-સંવિભાગ વ્રત છે. વિધિપૂર્વક એટલે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર આદિ જાળવી દાન કરવું.
1. તિથિ પર્વોત્સાઃ સર્વે ત્યજ્ઞા: યેન મહાત્મના. ।
अतिथिं तेन जानीयाच्छेषमऽभ्यागतं विदुः ।।
द्वात्रिंशत् द्वात्रिंशिका - १
2. વર્તમાનકાળે ચૌવિહાર ઉપવાસ સાથે રાત-દિવસનો પૌષધ કરી, બીજે દિવસે ઠામચૌવિહાર એકાસણું ક૨વું અને સાધુઓ જે વસ્તુ વહોરે તે વસ્તુ વાપરવી, એ પ્રમાણે અતિથિસંવિભાગ વ્રત કરવામાં આવે છે. આ નિયમ લેનારે વર્ષમાં બે-ત્રણ-ચાર એમ જેટલા દિવસ અતિથિસંવિભાગ કરવો હાય તેટલા દિવસની સંખ્યા નક્કી કરી લેવી જોઈએ.- તત્ત્વાર્થાધિગમ સૂત્ર(અ.૭સૂ.૧૬) ૩. (૧) દેશ - આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ, ઈત્યાદિ વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં આપવી વગેરે.
(૨) કાળ – સુકાળ છે કે દુષ્કાળ છે, ઈત્યાદિ વિચાર કરવો. દુષ્કાળ હોય તો પોતાને સુલભ હોય
તો સાધુઓને અધિક પ્રમાણમાં વહોરાવવું. કયા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે, વર્તમાનમાં કઈ વસ્તુ સુલભ છે કે દુર્લભ છે, ઈત્યાદિવિચારકરીને તે પ્રમાણે વહોરાવવું વગેરે. (૩) શ્રદ્ધા - વિશુદ્ધ અધ્યવસાયથી આપવું : આપવું પડે છે માટે આપો એવી બુદ્ધિથી નહિ,
કિન્તુ એમનો આપણા ઉપર મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ, તેમને આપવાથી આપણાં અનેક પાપો બળી જાય ઈત્યાદિ વિશુદ્ધ ભાવનાથી આપવું.
(૪) સત્કાર - આદરથી આપવું,નિયંત્રણ ક૨વાજવું,ઓચિંતા ઘરેઆવેતો ખબર પડતાં સામેજવું, વહોરાવ્યાબાદથોડે સુધી પાછળ વળાવવા જવું વગેરે સત્કારપૂર્વક દાન કરવું.
(૫) ક્રમ - શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી, અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂ૨ી વસ્તુનું પ્રથમ નિયંત્રણ કરવું, પછી બીજી વસ્તુઓનું નિયંત્રણ કરવું, અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહોરાવવું.
(૬) કલ્પનીય - આધાકર્મ આદિ દોષોથી રહિત, સંયમ માટે ઉપકારક બને તેવી વસ્તુ કલ્પનીય છે, અથવા તમામ વસ્તુનાં નામ જણાવી મહાત્માની ઈચ્છા પ્રમાણે ખપતી ચીજ વહોરાવવી.