________________
૧૫૪
સૂત્રસંવેદના-૪
નીકળેલા ઘાસને બાળી નાંખવું; ગુફાઓ કે માર્ગ બનાવવા બ્લાસ્ટીંગ કરવું વગેરે દવ-દાનકર્મ' નામના કર્માદાન તરીકે ગ્રહણ કરવું. (૧૪) સર--તાવ-શો - સરોવર, દ્રહ, તળાવોને સૂકવવાનું કર્મ
ધાન્ય ઉગાડવા માટે સરોવર, ધરાઓ, નદી, દ્રહોમાંથી નીક કે નહેર દ્વારા પાણી વહેવડાવવું, કૂવા ખાલી કરી આપવા, બોરવૅલ બનાવવા વગેરે જલશોષણકર્મ છે. (૧૫) સોર્સ - અસતી-પોષણકર્મ.
અસતી એટલે કુલટા-વ્યભિચારિણી સ્ત્રી. તેને પોસવાનું કર્મ તે અસતીપોષણકર્મ છે. દાસ-દાસીઓ, નદીઓ, નપુંસકો વગેરેને હલકો ધંધો કરવા માટે ઉછેરવાં, એકઠાં કરવાં કે અન્ય રીતે પોષણ આપવું, તેમના દ્વારા કૂટણખાનાં ચલાવવાં, સિંહ-વાઘ-ચિત્તા-રીંછ વગેરે શિકારી પ્રાણીઓને ઉછેરવાં, તેમની પાસે વિવિધ ખેલ કરાવવા, તેમને વેચવાં, પોપટ-મેના-કૂતરાં આદિને પાળવાં વગેરે અસતી-પોષણકર્મ કહેવાય છે.
વ્યક્તિના - ત્યાગ કરવો જોઈએ.
મૂળમાં પંદર પ્રકારનાં કર્માદાન જણાવ્યાં છે. તે સિવાય પણ આવા પ્રકારના ધંધાઓનો શ્રાવકે ત્યાગ કરવો જોઈએ.
આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે - “અર્થ અનર્થનું મૂળ છે, તો પણ ગૃહસ્થજીવન ધન વિના ચાલતું નથી. માટે મારે તેની જરૂર તો પડે છે. જરૂરી ધન મેળવવા માટેના અલ્પહિસાવાળા પણ માર્ગો આ જગતમાં ઘણા છે. આ રસ્તે જઈ ધન પ્રાપ્ત થઈ શકે તેમ હતું. આમ છતાં લોભસંજ્ઞાને આધીન થઈને કે કુમિત્રોના સંગે ચડીને મેં પણ શ્રાવકજીવનમાં ન કરવા યોગ્ય, આલોક અને પરલોક બન્નેને બગાડનાર કર્માદાનના ધંધા સીધા કે આડકતરા આદર્યા છે. આ મેં ખોટું કર્યું છે. આનાથી મેં જ મારા આત્માને કર્મના બંધનથી બાંધ્યો છે અને દુઃખનું ભાજન બનાવ્યો છે.
ભગવંત ! થયેલા આ સર્વ પાપની નતમસ્તકે દુઃખાદ્ધ હદયે હું નિંદા કરું છું. ગુરુ પાસે તેની ગહ કરું છું, પુનઃ પુનઃ આવા પાપો ન થાય તે માટે મહાસંતોષી અભ્યારંભવાળા ધંધાથી આજીવિકા ચલાવનાર પૂણિયા વગેરે શ્રાવકો જેવું સત્વ મારામાં પ્રગટે તેવી પ્રાર્થના કરું છું.”