________________
સૂત્રસંવેદના-૪
શકે, તોપણ મઘ-માંસ આદિ અભક્ષ્ય ચીજોની ખરાબીનો વિચાર કરી તેનું પ્રમાણ નક્કી કરી મર્યાદિત તો કરે જ.
૧૪૦
2
મઘ અને માંસ શ્રાવકો માટે જેમ વર્જ્ય છે, તેમ ૨૨ પ્રકારનાં અભક્ષ્ય પણ શ્રાવક માટે વર્જ્ય છે. આ કારણથી તેની પણ ખરાબીનો વિચાર કરી શ્રાવકે તેનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ; કેમ કે ધર્મની આધારશિલા આચાર છે. આચાર ક્રિયાશુદ્ધિ ઉપર જીવે છે. ક્રિયાશુદ્ધિ ભાવનાશુદ્ધિ ઉપર જીવે છે અને ભાવનાશુદ્ધિ આહારશુદ્ધિ ઉપર જીવે છે. આથી જીવનમાં આહારશુદ્ધિ હશે તો ધર્મ આવી શકશે.
આ વ્રત સ્વીકારી શ્રાવકો ભોજન અંગેના અનેક નિયમો તો સ્વીકારે જ છે, પણ તે ઉપરાંત જેનાથી સ્વ-પરનું મન વિકારયુક્ત બને, અત્યંત આસક્તિ પેદા
2 જૈન ધર્મથી ભાવિત આત્મા નીચેની ૨૨ અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરે.
(૧) વડના ફળ (Banyan's fruit)
(૨) પીપળાના ફળ (Fig trees's fruit) (૩) પ્લેક્ષ જાતના પીપળાની ટેટીઓ (૪) ઉંબરાના ટેટા
(૫) કાકોદુંબરના ટેટા
(૬) દરેક જાતનો દારૂ (All types of wine) માદક છે, બુદ્ધિને વિકૃત કરનાર છે.
તમોગુણની વૃદ્ધિ કરનાર છે, અને હિંસાનું કારણ છે.
(૭) દરેક જાતનાં માંસ (meat)
(૮) મધ (honey)
(૯) માખણ (Butter)
(૧૦) બરફ (lce) (૧૧) કરાં (Hailstones)
આ,પાંચ ઉદુંબર જાતિનાં ફળો છે,
ૐ જેમાં નાનાં નાનાં
•
ઘણાં જંતુઓ હોય છે,
(૧૨) વિષ (Poison) (૧૩) સર્વ પ્રકારની માટી (soil)
બુદ્ધિને મંદ કરનાર, તમોગુણની
વૃદ્ધિ કરનાર અને હિંસાનું પ્રધાન કારણ છે
મધમાં તુરંત અને માખણમાં છાશમાંથી બહાર કાઢ્યા બાદ તે જ રંગના અસંખ્ય
સૂક્ષ્મ ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે.
અસંખ્ય અપ્લાય જીવમય છે.
પ્રાણનો નાશ કરનાર છે.
સચિત્ત છે, અને પ્રાણ-ધારણ માટે અનાવશ્યક છે.
(૧૪) રાત્રિભોજન (Eating after Sunset )
જીવહિંસાદિ ઘણા દોષો રહેલા છે.
કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે આયુર્વેદ શાસ્ત્રના આધારે કહ્યું છે