Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 145
________________ दीधितिः५ स सर्वथैव व्याप्यवृत्ति न कथ्यते । अतः सर्वथैव व्याप्यवृत्तिसाध्यके एव तद्विशेषणमुपादेयम्, नान्यत्र । કે ચન્દ્રશેખરીયાઃ વ્યાખવૃત્તિની એક વ્યાખ્યા જોઈ ગયા. હવે બીજી વ્યાખ્યા જોઈએ. સાધ્યતા-અવચ્છેદક સંબંધથી સાધ્યનું અધિકરણ જે બને તેમાં કોઈપણ સંબંધથી જે અભાવ રહે તે અભાવની સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતા જે સાધ્યમાં ન હોય તે સાધ્ય વ્યાપ્યવૃત્તિ ગણાય. હવે આ વ્યાખ્યા પ્રમાણે સત્તાવાનું ખાતેઃ માં સાધ્યતા-અવચ્છેદકસમવાયસંબંધથી સત્તાનું અધિકરણ સ્કંદગુણ-દ્રવ્યાદિ બને અને તેમાં વિશેષાદિમાં રહેલો સમવાયથી સત્તાનો અભાવ એ કાલિકથી (દ્રવ્યમાં) રહી જાય છે. અને તેની સાધ્યતાવચ્છેદકસમવાયાવચ્છિન્નપ્રતિયોગિતા એ સત્તાનામના સાધ્યમાં છે. એટલે આ સત્તા એ અવ્યાખવૃત્તિ સાધ્ય જ ગણાય. માટે આ સ્થલે પણ લક્ષણમાં પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ મુકવાનું જ છે. એટલે જ હવે જાત્યધિકરણ ઘટાદિમાં કદાચ કાલિકસંથી સત્તા-અભાવ રાખો તો ય એ અભાવ સ્વપ્રતિયોગિસત્તા-સમાનાધિકરણ કિજ બનવાનો. કેમકે ઘટમાં સત્તા છે જ. એટલે સત્તા-અભાવ લક્ષણઘટક ન બનવાથી બીજા અભાવ દ્વારા લક્ષણસમન્વય થઈ જાય. કાલિકાવચ્છિન્ન- પ્રતિયોગિતાક-ઘટત્વાભાવાભાવવાનું ગગન–ાત્ માં પણ સાધ્યતાવચ્છેદક સ્વરૂપસંબંધથી સાધ્યાધિકરણ આકાશ બનશે તેમાં ઘટવાભાવાભાવાભાવસાધ્યાભાવ=ઘટવાભાવ સ્વરૂપથી તો રહેલો જ છે. અને તેની ઘટવાભાવાભાવમાં રહેલી પ્રતિયોગિતા સ્વરૂપસંબંધાવચ્છિન્ન પણ છે જ. અને તે પ્રતિયોગિતા સાધ્યમાં રહેલી હોવાથી આ સાધ્ય પણ અવ્યાપ્યવૃત્તિ જ ગણાશે. એટલે આ સ્થાને પણ પ્રતિ.અસમાનાધિકરણ પદ મુકવાનું જ છે. એટલે જ ગગનવાધિકરણ ગગનમાં ઘટવાભાવાભાવાભાવસાધ્યાભાવ રહેતો હોય તો પણ એ પોતાના પ્રતિયોગી કાલિકાવચ્છિન્નપ્રતિયોગિતાક એવા ઘટવાભાવાભાવને સમાનાધિકરણ જ છે. કેમકે ઘટવાભાવનો કાલિકથી ગગનમાં અભાવ જ છે. આમ આ અભાવ લક્ષણઘટક ન બનતા બીજા અભાવને લઈને લક્ષણસમન્વય થઈ જાય. આ રીતે બધે જ વિચારી લેવું. પણ આત્મત્વવાનું જ્ઞાનવત્વાતું આ સ્થાને સાધ્યતાવચ્છેદક સમવાયસંબંધથી સાધ્યનું અધિકરણ આત્મા છે. અને તેમાં તો સમવાયથી આત્મવાભાવ કાલિકસંબંધથી પણ રહેવાનો નથી. કેમકે આત્મા નિત્ય હોવાથી તેમાં કાલિકથી કોઈ વસ્તુ ન રહે. એટલે ત્યાં સમવાયથી ઘટાભાવ જ લેવાય. અને તેની સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતા ઘટમાં જ હોવાથી આત્મત્વમાં આ પ્રતિયોગિતાનો અભાવ મળી જાય છે. માટે આ સાધ્ય વ્યાખવૃત્તિ ગણાશે. એટલે આ સ્થલે પેલું વિશેષણ ન લેવું. એટલે જ્ઞાનાધિકરણ આત્મામાં આત્મત્વાભાવ સ્વરૂપથી કે કાલિકથી મળવાનો જ નથી. એટલે ઘટાભાવાદિ જ લેવાશે. અને તેથી લક્ષણ ઘટી જશે. સત્તાવાનું જાતેઃ નું તો હમણાં જ કહી ગયા. અહીં સાધ્યતાવચ્છેદકસંબંધથી સાધ્યાધિકરણમાં કોઈપણ સંબંધથી અભાવને રાખવાની છૂટ આપેલી છે. આગળ સ્વરૂપસંબંધથી જ અભાવવાળી વ્યાખ્યા કરેલી છે. દીધિતિમાં જે "સર્વચૈવ વ્યાપ્યવૃત્તિ-સાધ્યકે નોપાદેયમ" એમ આગળ કહેલું તેનો અર્થ પણ આ જ છે કે "જે સાધ્ય સ્વાધિકરણમાં કોઈપણ સંબંધથી રહેનારા અભાવનો પ્રતિયોગી ન બને. તે સર્વથા=સર્વપ્રકારે વ્યાપ્યવૃત્તિ ગણાય. અને તે સ્થાને એ વિશેષણની કોઈ જરૂર નથી" સર્વથેવનો અર્થ જ એ કે "એ સાધ્ય અમુક જ સંબંધથી વ્યાપ્યવૃત્તિ હોય એટલે કે અમુક જ સંબંધથી, સ્વિાધિકરણમાં રહેનારા અભાવનો અપ્રતિયોગી હોય તેવું ન લેવું. પણ કોઈપણ સંબંધથી સ્વાધિકરણમાં રહેનારા અભાવનો અપ્રતિયોગી એ જ વ્યાપ્યવૃત્તિ તરીકે ગણવો. આમ આ બીજી વ્યાખ્યામાં અભાવ એ કોઈપણ સ્વરૂપાદિસંબંધથી નિયંત્રિત નથી. એ ધ્યાનમાં રાખવું. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૩૯ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252