Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 166
________________ दीधितिः७ વિહ્નિ-અભાવાભાવ એ પણ સ્વપ્રતિયોગિપટાભાવ સમાનાધિકરણ બની જતા તે અભાવ પણ લક્ષણઘટક ન બની શકે અને તેથી અવ્યાપ્તિ આવે. કે પ્રશ્નઃ અહીં તમે અભાવમાત્ર પ્રતિયોગિક અભાવને પણ અધિકરણસ્વરૂપ માન્યો. પણ એ અભાવ વિશિષ્ટાભાવરૂપ ન હોવો જોઈએ. એમ કેમ કહો છો? ઉત્તરઃ જો અભાવમાત્રપ્રતિયોગિક વિશિષ્ટાભાવને પણ અધિકરણસ્વરૂપ માનીએ તો તો પછી "અત્યન્ત"પદ લક્ષણમાં મુક્યા પછી ય વાંધો આવે. તે આ પ્રમાણે "વર્તિમાનું ધૂમાતુ" એમાં ઘટાભાવને લક્ષણઘટક બનાવશું. તેના પ્રતિયોગી તરીકે ઘટપટાભાવ પણ બને છે. પણ પટાભાવ એ તો પટાભાવભેદરૂપ ઘટાભાવનો નિરૂપક છે. અર્થાત્ તે અત્યન્તાભાવનિરૂપક નથી. પણ ભેદનિરૂપક છે. એટલે તે પ્રતિયોગીની વિચારણા જ નથી કરવાની. ઘટ એ અત્યન્તાભાવત્વનિરૂપક છે. અને એ તો પર્વતમાં ન રહેતો હોવાથી આ ઘટાભાવ એ લક્ષણઘટક બની શકે પણ હવે વિશિષ્ટાભાવરૂપ એવા અભાવમાત્રપ્રતિયોગિક-અભાવને અધિકરણ સ્વરૂપ માનીએ તો વાંધો આવે. ઘટાભાવમાં ગગન ન રહેતું હોવાથી ઘટાભાવ ગગનાભાવવાનું છે. હવે એ "ગગનાભાવો ઘટાભાવઃ ન" એમ કહી શકાતું હોવાથી એ ગગનાભાવ એ ઘટાભાવભેદવિશિષ્ટ છે. હવે ઘટાભાવમાં ગગનાભાવ રહેતો હોવા છતાં ઘટાભાવભેદવિશિષ્ટ એવો ગગનાભાવ ન રહે. કેમકે ઘટાભાવમાં ઘટાભાવભેદ રહેતો નથી. એટલે "ઘટાભાવઃ ઘટાભાવભેદવિશિષ્ટગગનાભાવસ્ય અભાવવાનું બને. હવે આ વિશિષ્ટગગનાભાવાભાવ એ અભાવમાત્રપ્રતિયોગિક હોવાથી તે સ્વાધિકરણ=ઘટાભાવ સ્વરૂપ માનીએ તો આ વિશિષ્ટગગનાભાવાભાવનો પ્રતિયોગી વિશિષ્ટગગનાભાવ એ ઘટાભાવનો પ્રતિયોગી પણ ગણાય. અને આ વિ.ગગનાભાવ તો પર્વતમાં રહેલો જ છે. વળી આ વિગગનાભાવ એ વિ.ગગનાભાવાભાવનિષ્ઠ અત્યન્તાભાવત્વનો નિરૂપક એવો જ પ્રતિયોગી છે. અને ઘટાભાવ આવા પ્રતિયોગીને સમાનાધિકરણ બની જતાં હવે તો ઘટાભાવ પણ અત્યન્તાભાવત્વનિરૂપકપ્રતિયોગિ-અસમાનાધિકરણ ન બનતા અવ્યાપ્તિ આવી રહે. આથી જ વિશિષ્ટાભાવને "એ અભાવમાત્રપ્રતિયોગિક હોય" તો પણ અધિકરણ સ્વરૂપ માનવાનો નથી. અને એટલે આવો વિશિષ્ટગગનાભાવાભાવ એ સ્વાધિકરણ એવા ઘટાભાવથી જુદો જ માનવાનો રહેશે. અને તેથી ઘટાભાવના પ્રતિયોગી તરીકે ઘટ જ અત્યન્તાભાવવનિરૂપક બનવાથી એ જ પ્રતિયોગી લેવાય. અને તેને અસમાનાધિકરણ એવો પર્વતવૃત્તિ-ઘટાભાવ છે જ. એટલે કોઈ દોષ ન આવે. પ્રશન: આનો અર્થ એમ કે અત્યન્ત પદ ન લખીએ તો તમામ અભાવો પ્રતિયોગિસમાનાધિકરણ જ બનવાના. અને તો પછી "સ્વપ્રતિયોગિ-અસમાનાધિકરણ-અભાવ અસંભવિત છે" એમ કહેવાને બદલે "દુર્લભ છે." એમ શા માટે કહ્યું? जागदीशी -- अग्रे विवक्षणीयस्य साध्यताघटकसम्बन्धेन प्रतियोग्यसामानाधिकरण्यस्य 'वह्निमान् धूमादि'त्यादौ घटाद्यभावे सत्वान्न सर्वत्राप्रसिद्धिः। किन्तु स्वरूपसम्बन्धेनाभावस्य साध्यतायामेवेति: सूचयितुमप्रसिद्धिमपहाय ‘दुर्लभत्व'मुक्तम् । સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૫૭

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252