Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 192
________________ दीधितिः८ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ लक्षणघटकत्वमस्ति इति नातिव्याप्तिः । છે ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: ના. કેમકે "ભૂતલે સમવાયેન તવાયત્તાભાવઃ" એવું જ્ઞાન થવા છતાં પણ ભૂતલે સંયોગેન તો એ જ્ઞાન થઈ શકે છે. અને તેથી માત્ર તદ્ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવવિષયકજ્ઞાન પ્રતિબંધક ન મનાય. પરંતુ સંયોગસંબંધાવચ્છિન્ન-તડ્વોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક અત્યન્તાભાવવિષયકજ્ઞાન એ જ સંયોગેન ગોમત્તાની બુદ્ધિ પ્રત્યે પ્રતિબંધક છે એમ માનવું જોઈએ. આમ અત્યન્તાભાવપ્રત્યક્ષ એ ચોક્કસસંબંધને લઈને જે પ્રતિયોગીના અભાવવત્તાના જ્ઞાન રૂપ હોય ત્યારે જ તે તે ચોક્કસસંબંધને લઈને જ પ્રતિયોગીના જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક બને. જ્યારે ધ્વસ અને પ્રાગભાવમાં તો એવું નથી. જે ભૂતલ ઉપર ગોધ્વસનું જ્ઞાન થાય. ત્યાં સમવાય-કાલિક-સંયોગાદિ કોઈપણ સંબંધથી ગોની પ્રતીતિ થતી જ નથી. એટલે ધ્વસપ્રાગભાવવિષયકજ્ઞાન એ સંબંધવિશેષના નિવેશ વિના જ પ્રતિબંધક બને છે. જ્યારે અત્યન્તાભાવવિષયકજ્ઞાન એ સંબંધવિશેષના નિવેશ ફિદ્વારા જ પ્રતિબંધક બને છે. જ્યારે આમ અત્યન્તાભાવમાં સંબંધવિશેષ્યક તદ્ગોવાદિધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવત્વ છે. અને ધ્વસાદિમાં માત્ર તદ્ગોત્વાદિધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવત્વ છે. એટલે એ અભાવત્વ સરખું નથી. અને તેથી જ અત્યન્તાભાવની પ્રતિયોગિતા સામાન્યધર્માવચ્છિન્ન મનાય પણ તેને લઈને ધ્વસાદિની પ્રતિયોગિતા એ સામાન્યધર્માવચ્છિન્ન ન મનાય. જો ત્રણેયમાં એક સરખું અભાવત્વ હોત તો ત્રણેયમાં એક સરખું માનવું પડે. પણ તેવું તો નથી જ. એટલે જ ધ્વસાદિની પ્રતિયોગિતા અમે તો સામાન્યધર્માવચ્છિન્ન માનતા નથી. માટે જ "જેઓ એવું માને છે કે.." એમ અમે કહ્યું છે. આમ ઉપર્યુક્ત સ્થલોમાં અતિવ્યાપ્તિ આવે જ છે માટે જ "અત્યન્તાભાવ-સંસર્ગાભાવ" એમ કહો તો ય છુટકારો થવાનો નથી. અહીં પૂર્વપક્ષ પુરો થયો. હવે સિદ્ધાન્ત તેનો ઉત્તર આપશે. { ઉત્તરપક્ષ: આ બધી આપત્તિઓનું મૂળ એ જ છે કે "જેનો ધ્વંસ જ્યાં રહે ત્યાં તેનો અત્યન્તાભાવ ન રહે" એવી તમારી માન્યતા છે. પણ એ માન્યતા જ ખોટી છે. કેમકે જેમ પ્રતિયોગિવાળા એવા પણ કાળમાં પ્રતિયોગિનો અત્યન્તાભાવ રહે છે. તેમ પ્રતિયોગિધ્વસવાળા કાળમાં પણ પ્રતિયોગિ-અત્યન્તાભાવ માનવામાં કોઈ જ વાંધો નથી. 1 जागदीशी -- ननु ‘प्रतियोगिमत इवे' त्यप्रसिद्धं तत्राप्यत्यन्ताभावानुपगमात् 1. चन्द्रशेखरीयाः ननु प्रतियोगिमति काले प्रतियोग्यत्यन्ताभाव एव अप्रसिद्धः इति तं दृष्टान्तीकृत्य ध्वंसवति कालेऽत्यन्ताभावसाधनप्रयासोऽनुचितः इति चेत् । ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ પ્રતિયોગિતાવાળા કાળમાં પણ અમે અત્યંતાભાવ માનતા જ ન હોવાથી એને દષ્ટાન્ત તરીકે ન લેવાય. जागदीशी -- अत आह- *अन्यथेति । [गवात्यन्ताभावासत्त्व इत्यर्थः] । *अत्यन्ताभावस्येति ।। -गोत्वादिना गवादेरत्यन्ताभावस्येत्यर्थः । तेन गगना[ध]भावस्य गोविशिष्टगोत्वाद्यभावस्य वा प्रलयवृत्तित्वेऽपि સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૮૩. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252