Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૯
મદના કારણે વૃક્ષશ્રેણિને ઢફાની જેમ ચારે બાજુ ફેતા ફેંકતા અને પ્રલયકાલના પવનની જેમ બધું અવ્યવસ્થિત કરતા કરતા નલની પાસે આવ્યા હતા. ઉન્મત્ત બનેલા તેને પેાતાના વશમાં કરવા કોઈ સમથ ન હોવાથી પ્રજાના સ`હારને જોતા રાજાએ એ બહુ ઊંચા કરીને કહ્યું: હું નગરજના ! સાંભળેા, જે કોઈ આ હાથીને વશ કરવા સમર્થ બનશે તેને હું ઘણી સ...પત્તિ આપીશ. આ પ્રમાણે સાંભળીને જેના પરાક્રમની ઉત્કંઠારૂપી અગ્નિ પ્રગટી રહ્યો છે એવા નલ હાથી તરફ સિંહની જેમ વેગથી દોડયો. હે કુબડા ! મર નહિ, મર નહિ, એમ નગરજને એ રોકવા છતાં નલે પત્રનની જેમ જતા હાથીને ઢેકુ મારીને કહ્યું: હું દુષ્ટ! આ સ્રીઓ અને બાળકાને ન માર. તારા મદના નાશ કરવા માટે અસાધારણ સિંહસમાન આ હું તારી આગળ આવીને ઊભે રહ્યો છું. પછી નલે ક્રોધાંધ, ઉન્મત્ત અને દોડતા તે હાથીને વાંકી ચાલના ક્રમથી ઘણા કાળ સુધી રમાડયો. ઘણા કાળ પછી ખિન્ન બનેલા તેની આગળ નલે પેાતાનું ઉત્તરીય વસ્ર નાખ્યું. હાથી તે વજ્રને પણ પેાતાના દાંતા મારવા લાગ્યા. નલ તેના સ્કંધ ઉપર ચઢી ગયા. તેના કુંભસ્થલમાં પેાતાના હાથાથી ઢાકીને ઘણા કાળે શાંત કરીને નલ તેને તેના ઉત્કૃષ્ટ આલાનસ્તંભ પાસે લઈ ગયા. આ અસાધારણ પુરુષ છે એમ વિચારીને દધિપણુ રાજાએ નલના કંઠે આદરપૂર્વક રત્નમાલા પહેરાવી. પછી નલે હાથીને આલાનસ્તંભમાં ખાંધ્યા. જય જય એ પ્રમાણે ખાલી રહેલા નગરજનાની સાથે નલ ષિપણું રાજા પાસે આવીને બેઠા. રાજાએ તેને ગૌરવપૂર્વક વસ્ત્રો અને સર્વ અંગાના આભૂષણા આપ્યાં. પછી રાજાએ તેને વંશ—કુલ આદિ પૂછ્યુ. નલે કહ્યું: હું ભૂપતિ! મારી જન્મભૂમિ કેાશલાનગરી છે. મારે સઘળા સ્વજનવર્ગ પણ ત્યાં જ કુશળતા અનુભવે છે. હું નલરાજાના કુબડો રસાઈચા છું. હુ સઘળી કલાએ તેની પાસેથી જ પ્રેમથી શીખ્યો છું. વળી બીજી – હું ભૂપતિ ! આ પૃથ્વીમાં સૂર્યપાક રસાઈ નલ રાજા જ જાણે છે, અને તેની કૃપાથી હું જાણું છું, અમારા એ સિવાય બીજો કાઈ સૂ પાક ૨સેાઈ જાણતા નથી. દુર્ભાગ્યથી ખંધુ કૂંબરની સાથે નલ જુગાર રમવા લાગ્યા. હમણાં તે જુગારમાં રાજય હારી ગયા. પત્ની સહિત તે કયાંક જતે રહ્યો અને મરી ગયા. આ સાંભળીને નલની ગુણશ્રેણિને યાદ કરતા અને શાકપરાયણુ બનેલા દધિપણ રાજાએ તેનાં પ્રેતકાર્યાં કર્યાં. એકવાર દધિપણુ રાજાએ નલને પ્રાથના કરી કે સૂર્ય પાક રસાઈ બનાવી આપ. આથી જલતી સૂર્યવિદ્યાનુ. સ્મરણ કરતા નલે ચાખાથી સંપૂર્ણ ભરેલા થાળને તડકે મૂકીને સૂ પાક રસાઈ બનાવી પછી તેણે સરસાથી સુંદર તે રસોઈ બધાને જમાડી. રાજાએ તે વખતે નલને પાંચસે ગામ અને એક લાખ ટક (=સેાનામહોર) બક્ષિસ આપ્યા. નલે એક લાખ ટંકના સ્વીકાર કર્યાં, પણ ગામા ન લીધાં, ફરી એકવાર ખુશ થયેલા રાજાએ નલને કહ્યું: તને બીજું
૨૭